SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૯૪ યોગદૃષ્ટિ સમુચ્ચય પર૭ બૌદ્ધ અસત્યકાર્યવાદી હોવાથી સત્કાર્યવાદી એવા સાંખ્યાદિને હંમેશાં ઠપકો (દોષ) આપે છે કે “ ઇવ ન્યથા આવતીતિ વિરુદ્ધમ' તે જ વસ્તુ અન્યથા (રૂપાન્તર) થાય છે આવી તમારી વાત વિરુદ્ધ છે અર્થાત્ ઘટતી નથી. યુક્તિસંગત નથી. કારણ કે જો વસ્તુ = તે જ છે તો પછી તેને અન્યથા મવતિ કેમ કહેવાય? અને જો વસ્તુ અન્યથા મવતિ બીજી જ થાય છે તો તે વસ્તુને પુર્વ આ તે જ વસ્તુ છે એમ કેમ કહેવાય? માટે સ દ્વ=પણ કહેવું અને અન્યથા મવતિ પણ કહેવું છે કે માતા વચ્યા ની જેમ પરસ્પર વિરુદ્ધ છે. આવો દોષ બૌદ્ધ ડાહ્યો થઈને સાંખ્યાદિને આપે છે. પરંતુ તેના પક્ષમાં પણ આવો જ દોષ આવે છે તે દોષ ડાહ્યો એવો આ બૌદ્ધ જોતો નથી. તેને આ દોષ સમજાવતાં ગ્રંથકાર કહે છે કે a gવ=તે જ પદાર્થ કે જે પદાર્થ વિવક્ષિત સમયમાં ભાવ (વિદ્યમાન-સ) સ્વરૂપે છે. (એમ તત્ શબ્દથી ભાવાત્મક પદાર્થનો પરામર્શ જાણવો.) તે જ પદાર્થ ન અવતતિ–ઉત્તર સમયમાં હોતો નથી. અર્થાત્ અભાવાત્મક બને છે. અસત્ થાય છે. એમ સ વ ર મવતિ આ પદ પ્રથમ ક્ષણે વર્તતો પદાર્થ ઉત્તર ક્ષણમાં હોતો નથી. એમ અભાવનું (અસતનું) વિધાન કરે છે. ઉપરોક્ત “ ઇવ ન મવતિ'' આવા પ્રકારનું બૌદ્ધનું માનેલું આ વચન, સાગના માનેલા “સ વ અન્યથા મવતિ' ઇત્યાદિ વચનની જેમ વિરુદ્ધ જ છે. સાંખના આ વચનનું ઉદાહરણ આપીને સમજાવે છે કે જેમ સાંખ્યનું વચન વિરુદ્ધ છે. તેમ બૌદ્ધનું વચન પણ વિરુદ્ધ જ છે. બન્નેમાં નીતિ (ન્યાય) સમાન જ છે. દોષ આવવાની રીતિ સમાન જ છે. તે આ પ્રમાણે “સ વન્યથા મવતિ''=પૂર્વેક્ષણવર્તી જે પદાર્થ છે, તે પદાર્થ જ અન્ય અન્ય ક્ષણોમાં રૂપાન્તર થવા રૂપે અન્યથા થાય છે. રૂન્યવત્તે આવા પ્રકારનું વાક્ય સાંખ્યદર્શનના અનુયાયી જ્યારે વાદીઓની પર્ષદામાં કહે છે. ત્યારે તે દિ ાવાદ તે બૌદ્ધ (ડાહ્યો થઈને) સાંખ્યને ઠપકો આપતો છતો આ પ્રમાણે કહે છે કે- ય િ વિજો તે જ આ પદાર્થ છે. તો તેને રથમથા મતિ-અન્યથા થયો છે એમ કેમ કહેવાય? અને અન્યથા ચેન્ ભવતિ જો તે પદાર્થ અન્યથા થયો છે, બદલાઈ ગયો છે, તો પછી તેને શર્થ તિ આ પદાર્થ તે જ છે એમ કેમ કહેવાય? સારાંશ તે બૌદ્ધ સાંગને એવો ઠપકો આપે છે કે “જો પદાર્થ તે જ છે. તો તે અન્યથા થયો કેમ કહેવાય”? અને “જો પદાર્થ અન્યથા થયો હોય તો આ પદાર્થ તે જ છે.” એમ કેમ કહેવાય? “મારી મા વધ્યા છે” આ વાક્યની જેમ સાંખ્યની વાત પરસ્પર વિરુદ્ધ વચનોવાળી છે. એમ બૌદ્ધનું કહેવું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy