SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૧૦૭-૧૦૮ યોગદષ્ટિ સમુચ્ચય ૩૬૩ વિવક્ષિત એવા એક રાજાના સર્વે પણ તે નોકરો (સેવકો) તે રાજાના જ આશ્રિત કહેવાય છે. નજીક અને દૂર હોવા છતાં તે સર્વે સેવકો વિરક્ષિત રાજાના જ સેવકો કહેવાય છે. અને તે નજીક તથા દૂર રહેલા સર્વે સેવકોનું મન વિચલિત એક જ રાજામાં આશ્રિત થયેલું જેમ કહેવાય છે. તેમ અહીં સમજવું. (આ દૃષ્ટાન્તની યોજના હવે પછીની ગાથામાં કરે છે.) | ૧૦૭ | दान्तिकयोजनमाहઉપરોક્ત દૃષ્ટાન્તની દાન્તિકમાં યોજના કરતાં જણાવે છે. सर्वज्ञतत्त्वाभेदेन तथा सर्वज्ञवादिनः । सर्वे तत्तत्त्वगा ज्ञेया, भिन्नाचारस्थिता अपि ॥ १०८॥ ગાથાર્થ =“સર્વજ્ઞ ભગવાન છે” તેવા પ્રકારનું માનનારા સર્વે વાદીઓ ભિન્નભિન્ન આચારમાં હોવા છતાં પણ દરેકમાં સર્વજ્ઞતત્ત્વનો ભેદ ન હોવાથી તે સર્વે વાદીઓ સર્વજ્ઞતત્ત્વને અનુસરનારા જાણવા. / ૧૦૮ || ટીકા -“સર્વજ્ઞdલ્લામેન'' યથોહિતનીત્યા હેતુભૂતન ! “તથા” નૃપતિતિવિહિપુષવા, “સર્વજ્ઞાતિન: સર્વ” વિનતિમતવિશ્વિનઃ | “તત્તત્ત્વI:” સર્વજ્ઞતા : “યા:”! “મિત્તાવાસ્થિત ર” તથાથિવારમેનેતિ | ૨૦૮ વિવેચન :- વસ્તુસ્થિતિ સમજાવવા માટે જે ઉપમા આપવામાં આવે તે દૃષ્ટાંત કહેવાય. અને તે દૃષ્ટાન્તને અનુસાર વસ્તુસ્થિતિ જેમાં સમજાવાય તે રાષ્ટ્રત્તિક કહેવાય છે. ઉપમા તે દૃષ્ટાન્ત અને ઉપમેય તે દાર્રાન્તિક. વિવલિત એવા કોઈ પણ એક રાજાના આશ્રયે દૂર-આસન્ન આદિ ભેદે રહેલા બહુ પુરુષો જેમ એક જ રાજાના સેવકો કહેવાય છે. તથા તેની જેમ સર્વે સર્વજ્ઞાતિ =“સર્વજ્ઞ જગતમાં છે જ” એવા પ્રકારના “સર્વજ્ઞત્વ” નામના સામાન્ય લક્ષણ વડે સર્વજ્ઞને સ્વીકારનારા જૈન, બૌદ્ધ, શિવ, શંકર, મહાદેવ આદિ ભિન્ન-ભિન્ન મતાવલંબી પુરુષો પોતપોતાના દર્શનને અનુસરતા છતા મિન્નવાસ્થિતા કપિ જુદા જુદા આચારવાળા (ભિન્ન-ભિન્ન ક્રિયા કરનારા) હોવા છતાં પણ ઉપરની ગાથાઓમાં જે રીતે સમજાવવામાં આવ્યું છે તે નીતિ દ્વારા સર્વજ્ઞત્તત્ત્વમેવ સર્વજ્ઞતત્ત્વ અભિન્ન હોવાના કારણે તે તત્ત સર્વજ્ઞતત્ત્વને અનુસરનારા જ જાણવા. એક જ રાજાના બહુ સેવકો હોવા છતાં રાજાએ જે સેવકને જે અધિકાર આપેલો હોય તે સેવક તે અધિકાર જ બજાવે. બીજા સેવકને બીજો અધિકાર આપેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001092
Book TitleYogadrushti Samucchay
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2000
Total Pages630
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Yoga, & Philosophy
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy