SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૭ર પાંચમો કર્મગ્રંથ ૨૯૩ થાય ત્યારે આ ત્રણ પ્રકૃતિઓ બંધાતી હોવાથી અતિશય સંક્લિષ્ટ પરિણામી એવા દેવ-નારકીના જીવો જઘન્ય રસબંધના સ્વામી કહ્યા છે. તેમાં એટલી ખાસ વિશેષતા છે કે ઉદ્યોતનામકર્મ અને ઔદારિકશરીરનામકર્મના જઘન્ય રસબંધ માટે સર્વે નારકી અને સહસ્ત્રાર સુધીના સર્વે દેવો સ્વામી જાણવા. પરંતુ ઔદારિક અંગોપાંગ નામકર્મના જઘન્ય રસબંધના સ્વામી સનકુમારથી સહસ્ત્રાર સુધીના દેવો અને સર્વે નારકી જીવો સમજવા. કારણ કે ઇશાન સુધીના દેવો જો અતિશય સંક્લિષ્ટ થાય તો એકેન્દ્રિયમાં તેઓનો ઉત્પાત હોવાથી એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કરે અને એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધમાં ઔદારિકઅંગોપાંગ નામકર્મ બંધાતું નથી. કારણ કે એકેન્દ્રિયના ભવમાં અંગોપાંગ નામકર્મ (અને છેવટ્ટા સંઘયણ)નો ઉદય હોતો નથી. માટે ઇશાનાન્ત દેવો અહીં છોડી દેવામાં આવ્યા છે. તથા આનત આદિ દેવલોકના દેવો વધારે વિશુદ્ધિવાળા હોવાથી સહસાર સુધીના દેવો જેવા સંક્લિષ્ટ હોતા નથી. તેથી સહસ્ત્રાર સુધીના જ દેવો સ્વામી કહ્યા છે. અહીં “નિરયા' શબ્દનો અર્થ નારકો કરવામાં આવી વ્યુત્પત્તિ જાણવી. નિતમ્ યમ્ (=ફેષ્ટનં) તૈd #ર્મ નિરથી નારા: જુઓ સ્વોપજ્ઞ ટીકા ૭૧ तिरिदुगनिअं तमतमा, जिणमविरयनिरयविणिगथावरयं । आसुहुमायव सम्मो व सायथिर सुभजसा सिअरा ॥७२॥ (तिर्यग्द्विकनीचैस्तमस्तमा, जिनमविरता निरयान्विनैकेन्द्रियस्थावरकम्। आसौधर्मा आतपं, सम्यग्दृष्टिर्वा सातस्थिरशुभयशांसि सेतराणि ॥७२॥) તિરિતુ નીયં તિર્યંચદ્ધિક અને નીચગોત્રને (જઘન્યરસે) તમતમ= તમસ્તમપ્રભા નારકીના જીવો, નિમવિર =જિનનામકર્મને અવિરત જીવો, નિરવિથિાવરચં= એકેન્દ્રિયજાતિ અને સ્થાવરને નારકી વિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy