SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩ અને આ મન:પર્યવ જ્ઞાન લાયોપથમિક ભાવનું છે. તેથી તેરમે ચૌદમે ગુણઠાણે મન:પર્યવજ્ઞાન હોતું નથી. તથા આ જ્ઞાન વિશિષ્ટલબ્ધિ રૂપ હોવાથી પ્રથમનાં પાંચ ગુણઠાણામાં પણ થતું નથી. સામાયિક અને છેદોપસ્થાપનીય એમ બે ચારિત્રમાં પ્રમત્તાદિથી (૬ થી ૯ સુધી) ચાર ગુણસ્થાનક હોય છે. આ બન્ને ચારિત્રો સર્વવિરતિ સ્વરૂપ છે. અને મોહનીયના ક્ષયોપશમથી પ્રગટ થાય છે. તેથી છકે, સાતમે અને આઠમે સાયોપથમિક ભાવનાં આ બે ચારિત્રો હોય છે. તથા નવમા ગુણઠાણે ઉપશમશ્રેણિસ્થ જીવને મોહનીયનો ઉપશમ હજુ ચાલુ હોવાથી પૂર્ણ ઉપશમ ન હોવાથી જો કે ક્ષાયોપથમિક ભાવનાં જ આ બે ચારિત્રો છે તો પણ ગાથા ૭૦માં નવમે ઉપશમભાવનાં આ બે ચારિત્રો કહ્યાં છે. તે ઉપચારથી જાણવાં અને ક્ષપકશ્રેણિસ્થ જીવને મોહનીયના ક્ષયથી ક્ષાયિકભાવનાં આ બે ચારિત્રો ઉપશમશ્રેણીની જેમ નવમે હોવાં જોઈએ પરંતુ લપક શ્રેણીમાં મોહનીયનો હજુ પૂર્ણ ક્ષય થયેલ ન હોવાથી શાસ્ત્રકારોએ નવમે ગુણઠાણે ક્ષયોપશમ ભાવનાં આ બે ચારિત્રો ગણ્યાં છે. એમ આ બે ચારિત્રો છઠ્ઠાથી નવમા સુધી અને કુલ બે ભાવવાળાં હોય છે. દસમા ગુણઠાણે માત્ર સૂક્ષ્મકિટ્ટીકૃત લોભના જ ઉદયવાળા ચારિત્રને “સૂક્ષ્મસંપરાય” ચારિત્ર તરીકે જુદું ચારિત્ર કયું છે. તેથી આ બે ચારિત્રો નવમા ગુણસ્થાનક સુધી જ હોય છે. તથા પરિહારવિશુદ્ધિચારિત્રવાળા આત્માઓ ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી પ્રારંભતા નથી. તેથી અપૂર્વકરણાદિ શેષ ગુણસ્થાનકો પરિહારવિશુદ્ધિમાં હોતાં નથી. કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બે માર્ગણાઓમાં અન્તિમ બે ગુણસ્થાનકો (તેરમું અને ચૌદમું) હોય છે. આ બન્ને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના ક્ષયથી જ થાય છે. અર્થાત્ સાયિકભાવના ગુણો છે અને ક્ષાયિકજ્ઞાન-દર્શન તેરમે-ચૌદમે જ હોય છે. તેથી શેષ ગુણસ્થાનકો હોતાં નથી. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને અવધિદર્શન એમ કુલ ચાર માર્ગણામાં અવિરત સમ્યગ્દષ્ટિથી પ્રારંભીને બારમા ક્ષીણમોહ સુધીનાં નવ ગુણસ્થાનકો હોય છે. કારણ કે પ્રથમનાં મિથ્યાત્વાદિ ત્રણ ગુણસ્થાનકોમાં સમ્યકત્વ ન હોવાથી જ્ઞાન જ કહેવાતું નથી. પરંતુ અજ્ઞાન જ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy