SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ . ૮૪ તેથી પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક કહ્યાં નથી. તથા અન્તિમ બે ગુણસ્થાનકોમાં સાયિકભાવ છે અને આ ગુણો લાયોપથમિક ભાવના છે તેથી તેરમુ-ચૌદમું ગુણસ્થાનક આ ચારમાં કહ્યું નથી. પ્રશ્ન- મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અવધિજ્ઞાન આ ત્રણ માર્ગણામાં ૪ થી ૧૨ ગુણસ્થાનક કહ્યાં તે ઉચિત લાગે છે. કારણ કે વિશેષોપયોગમાં જ સમ્યગૂ અને મિથ્યા ભેદ પડી શકે છે. દૂરથી ખૂણામાં પડેલી કાળી વસ્તુને જોઈ આ સર્પ છે કે આ રજ્જા છે એમ જાણવાથી સમ્યગૂ અથવા મિથ્થાબોધ હોઈ શકે છે. તેથી જ જૈનશાસ્ત્રોમાં પ્રથમનાં ત્રણ ગુણઠાણે સમ્યકત્વ ન હોવાથી મતિઅજ્ઞાનાદિ ત્રણ અજ્ઞાન અને ચોથાથી સમ્યકત્વ હોવાથી મતિજ્ઞાનાદિ યથાયોગ્ય પાંચ જ્ઞાનો કહ્યાં છે. પરંતુ “આ કંઈક છે” એવા અનાકારોપયોગકાળે સર્પ કે રજ્જાના નિર્ણય તરફ ઢળતો બોધ ન હોવાથી સમ્યગૂ કે મિથ્થા સંભવતું નથી તેથી જ અનાકારોપયોગવાળાં ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન ૧ થી ૧૨ ગુણઠાણાં સુધી કહેવાય છે. સારાંશ કે દર્શનોપયોગમાં સ્પષ્ટ બોધ ન હોવાથી સમ્યગ-મિથ્યા ભેદ નથી અને જ્ઞાનોપયોગમાં સ્પષ્ટબોધ હોવાથી સમ્યગ-મિથ્યા ભેદ છે. તો અવધિદર્શનમાં ગ્રંથકારે ૪ થી ૧૨ ગુણઠાણાં કેમ કહ્યાં ? ચક્ષુઅચક્ષુની જેમ ૧ થી ૧૨ ગુણઠાણાં કેમ ન કહ્યાં ? તથા પ્રથમના ત્રણ ગુણસ્થાનકવર્તી જીવોમાં મતિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન વાળા જીવોને ઈન્દ્રિયજન્ય બોધ હોવાથી સામાન્યબોધના વિષયવાળાં જેમ ચક્ષુ-અચલું દર્શન હોય છે. તેમ તે જ ત્રણ ગુણસ્થાનકમાં વર્તતા વિર્ભાગજ્ઞાનવાળા જીવને અવધિદર્શન પણ હોઈ શકે છે. તે કેમ ન કહ્યું ? તથા સિદ્ધાન્તમાં ભગવતીજી નામના પાંચમા અંગમાં પ્રથમના ત્રણ ગુણસ્થાનકે વર્તતા ત્રણ અજ્ઞાનવાળાને અવધિદર્શન હોય છે એમ સાક્ષાત્ કહ્યું જ છે. તો અહીં અવધિદર્શન ચારથી બારમાં જ હોય એમ કેમ કહ્યું ? ભગવતીજીનો પાઠ આ પ્રમાણે- "દિક્ષા મોવડતા અંતે જિ नाणी अन्नाणी? गोयमा नाणी वि, अन्नाणी वि, जइ नाणी ते अत्थेगइया तिनाणी, अत्थेगइया चउनाणी, जे तिनाणी, ते आभिणिबोहियनाणी सुअनाणी ओहिनाणी, जे चउनाणी, ते आभिणिबोहियनाणी, सुयनाणी ओहिनाणी, मणपज्जवनाणी, जे બનાખી તે ળિયા નાની સુચનાથી વિપંપાળી રૂતિ" આઠમું શતક, બીજો ઉદેશો. આ બધી દલીલોથી એમ સમજાય છે કે અવધિદર્શન ૪ થી ૧૨ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy