SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણવાથી) જઘન્ય અસંખ્યાત અસંખ્યાત થાય છે. એમ સૂત્રોક્તને અનુસારે કહ્યું હતું. પરંતુ અન્ય આચાર્યોનું કહેવું છે કે જઘન્યયુક્ત અસંખ્યાતાનો વર્ગ માત્ર કરીએ (એટલે કે જ઼.યુ.અસં. ની જે રાશિ છે તે રાશિને તે જ રાશિ વડે ફક્ત એકજ વાર ગુણીએ) એટલે, સાતમું જઘન્ય અસંખ્યાત અસંખ્યાત થાય છે. પ્રથમ વિધાનમાં તેટલી વાર ગુણવાના કહ્યા. અને બીજા વિધાનમાં ફક્ત એકવાર ગુણવાના કહ્યા એ ઘણો મોટો તફાવત છે. આ બાબતમાં તત્ત્વ કેવલી ભગવાન જાણે. જઘન્યયુક્ત અસંખ્યાતમાં ૧-૨૩-૪ ઉમેરીએ તો મધ્યમ યુક્ત અસંખ્યાત થાય તે યાવત્ જઘન્ય અસંખ્યાત અસંખ્યાતમાં બે ઓછા હોય ત્યાં સુધી જાણવું. અને એકવાર ગુણવાથી જે જઘન્ય અસંખ્યાત અસંખ્યાત થયું તેમાં એકરૂપ ઓછું કરવાથી પાછળનું ઉત્કૃષ્ટ એટલે ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત થાય છે એમ જાણવું. આ પ્રમાણે જધન્ય સમજાવવામાં આવશે. અને જઘન્યમાંથી એક ઓછું કરો એટલે પાછળનું ઉત્કૃષ્ટ, અને ૧-૨-૩-૪ ઉમેરો તો આગળનું મધ્યમ થાય છે. તે વિધિ તો સૂત્રોક્તની જેમ સમાન જ છે. અહીં જધન્યયુક્ત અસંખ્યાતનો એકવાર ગુણાકાર કરવાથી જઘન્ય અસંખ્યાત અસંખ્યાત આવ્યું. આ માન્યતા તફાવતવાળી છે. તે સમજાવી હવે તેના પછીના ભેદો સમજાવે છે. ૮૦ रूवूणमाइमं गुरु, तिवग्गिउं तत्थिमे दसक्खेवे । लोगागासपएसा, धम्माधम्मेगजिअदेसा ॥ ८१ ॥ (रूपोनमादिमं गुरु, त्रिर्वर्गयित्वा तत्रेमान् दश क्षिपस्व । लोकाकाशप्रदेशा धर्माधर्मैकजीवप्रदेशाः ॥ ८१॥ qi=એક રૂપ ઓછુ કરીએ તો, आइमं गुरु ૨૬૩ = તત્ય = શબ્દાર્થ Jain Education International तिवग्गिउं = ત્રણવાર વર્ગ કરવાથી, તેમાં, क्खेवे પહેલું (પાછળનું) ઉત્કૃષ્ટ થાય છે. | |મે વશ = આ ૧૦ વસ્તુઓ, = તમે નાખો, તોITIHÇા = લોકાકાશના પ્રદેશો, धमाधम्मेजिअदेसा = ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને એક જીવના પ્રદેશો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy