________________
૨૫૦ દાણો સમાય તેમ નથી તો તેટલા મોટા માપવાળા ભરેલા અનવસ્થિતને રહેવા દઈને પ્રથમ શલાકાને જ ઉપાડવાનો, તેને ત્યાંથી આગળના (અ.ક. એ ૨૦૦૧ થી આગળના) દ્વીપ-સમુદ્રમાં એક એક સાક્ષીદાણા નાખવા વડે ખાલી કરવો અને તેનો એક સાક્ષીદાણો બહારથી લાવીને પ્રતિશલાકામાં નાખવો. હવે પ્રતિશલાકામાં બે દાણા થયા. શલાકા ઠલવાયેલ હોવાથી ખાલી છે. પરંતુ અનવસ્થિત ભરાયેલો પડેલ છે. તેને જ ઉપાડી ત્યાંથી આગળ (અ.ક. એ ૨૧૦૧ થી આગળ) એક-એક દાણો દ્વીપ-સમુદ્રમાં નાખતાં ખાલી કરવો. અને બહારનો એક સાક્ષીદાણો શલાકામાં નાખવો.
આ જ ક્રમે વારંવાર મોટા મોટા માપવાળો અનવસ્થિત પ્યાલો બનાવતા જવું. તેને ઠલવવા વડે તેના સાક્ષીપણે નાખેલા એક એક દાણાથી જ શલાકા ભરવો, જ્યારે જ્યારે શલાકા ભરાય ત્યારે તેની પૂર્વના માપવાળો અનવસ્થિત ભરીને જ રાખવો. પરંતુ ઉપાડવો કે ઠલવવો નહીં. કારણ કે જો ઠલવીએ તો તેનો સાક્ષીદાણો નાખવાની શલાકામાં જગ્યા નથી. અને ઠલવેલા અનવસ્થિત પ્યાલાના સાક્ષીદાણા પ્રતિશલાકા કે મહાશલાકામાં નખાય નહીં. તેથી ભરાયેલા શલાકાને જ ઉપાડી આગળ આગળના દ્વીપસમુદ્રમાં ઠલવી તે ખાલી થયેલા શલાકાપ્યાલાની સાક્ષીરૂપે બહારનો એકએક સાક્ષીદાણો નાખવા વડે જ પ્રતિશલાકા પ્યાલો ભરવો. એમ કરતાં
જ્યારે પ્રતિશલાકા પ્યાલો ભરાઈ જવા આવે ત્યારે તેમાં છેલ્લો સાક્ષીદાણો નાખતાં શલાકા ઠલવાયેલો જ છે. અને શલાકાને ઠલવવા ઉપાડ્યો હશે
ત્યારે તેની પૂર્વે અનવસ્થિત ભરીને જ રાખેલ હશે. તેથી હવે ભરીને રાખેલા અનવસ્થિતને ઉપાડી, ઠલવી, તેનો સાક્ષીદાણો ખાલી થયેલા શલાકામાં નાખવો. વળી વારંવાર આ જ ક્રમે અનવસ્થિતને મોટા મોટા માપે ભરી, ઠલવી, તેના સાક્ષીદાણાથી જ શલાકા ભરવો. જ્યારે શલાકા ભરાઈ જાય ત્યારે જેટલું મોટું માપ થયું ત્યાં સુધીના તમામ દ્વીપ-સમુદ્ર જેટલા માપવાળો અનવસ્થિત પ્યાલો પહેલાં સરસવોથી ભરવો. પરંતુ ઉપાડવો કે ઠલવવો નહીં. આ રીતે હવે અનવસ્થિત શલાકા અને પ્રતિશલાકા આ ત્રણે પ્યાલા પુરેપુરા સરસવોથી જ્યારે શિખા સહિત ભરાયા છે. ત્યારે પ્રથમ પ્રતિશલાકાને જ ઉપાડીને આગળ આગળના (અ.ક. એ ૧૦૦૦૧ થી ૧૦૧૦૦ સુધીના)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org