SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ગુણઠાણે વર્તતા જીવો અત્યન્ત અપ્રમત્ત હોવાથી વેદનીય અને આયુષ્યકર્મની ઉદીરણાને યોગ્ય અધ્યવસાયોનો અભાવ હોય છે. તેથી બે કર્મ વિના શેષ છની જ ઉદીરણા સંભવે છે. - સૂક્ષ્મસંપરાય ગુણઠાણે પણ વેદનીય અને આયુષ્યકર્મ વિના શેષ છ કર્મોની ઉદીરણા પ્રથમ સમયથી અન્તિમ એક આવલિકા બાકી રહે ત્યાં સુધી હોય છે. પરંતુ અન્તિમ એક આવલિકા જ્યારે બાકી રહે ત્યારે મોહનીયકર્મ પણ હવે આવલિકા માત્ર જ શેષ હોવાથી અને શેષ મોહનીય ઉપશાન્ત અથવા ક્ષીણ થયેલ હોવાથી મોહનીયની પણ ઉદીરણા અસંભવિત છે. તેથી પાંચ કર્મોની જ ઉદીરણા હોય છે. એમ છે અને પાંચ કર્મોની ઉદીરણા દસમે સંભવે છે. ઉપશાન્તમોહે તો મોહનીયકર્મ સર્વથા ઉપશાન્ત થયેલ હોવાથી તેના વિના તથા વેદનીય અને આયુષ્યની ઉદીરણા પહેલાં જ વારેલી હોવાથી તે વિના શેષ પાંચ કર્મોની જ ઉદીરણા હોય છે. મોહનીયકર્મનો ઉદય નથી માટે ઉદીરણા હોતી નથી. કહ્યું છે કે વેદ્યમાનવીર્યને વેચાતું હોય તો જ ઉદીરાય છે. આ ૬૧ છે पण दो खीण दु जोगी, णुदीरगु अजोगी थोव उवसंता। संखगुण खीण सुहुमानियट्टिअपुव्व सम अहिया॥ ६२॥ (पञ्च द्वे क्षीणो द्वे योगी, अनुदीरकोऽयोगी, स्तोका उपशान्ताः । સંતપુITI: ક્ષીણ: સૂક્ષ્મનિવૃત્ત્વપૂર્વાસમાં મધl: / ૬ર ) શબ્દાર્થ પા = પાંચ, ૩વલંતા = ઉપશાન્ત મોહવાળા, તો = બે, સંપુન = સંખ્યાતગુણા, રવીન = ક્ષીણમોહવાળા, | ખ = ક્ષીણમોહે, ૩ = બે, સુદુનિયમિપુષ્ય = સૂક્ષ્મસંપરાય, ગોળી = સયોગગુણઠાણાવાળા, અનિવૃત્તિ અને અપૂર્વકરણવાળા, ગુવીર = અનુદીરક, સમ અદિલા = માંહોમાંહે સરખા. મનોની = અયોગી, થોવ = થોડા, | અને પૂર્વથી અધિક હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy