SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ આહારકદ્ધિક અને તીર્થંકરનામકર્મને વર્જવાનું કારણ એ છે કે આહારકનો બંધ સંયમના નિમિત્તે, અને તીર્થંકરનામ કર્મનો બંધ સમ્યકત્વના નિમિત્તે થાય છે. એવું શાસ્ત્રવચન છે. તે આ પ્રમાણે “સમજુનિમિત્તતિસ્થય સંગને માદાિિત વવન' (જુઓ સ્વોપજ્ઞટીકા). પ્રશ્ન- આહારકદ્ધિકને બંધ “સંયમથી” થાય એમ ઉપર સમજાવો છો તો સંયમ એ તો આત્માનો ગુણ છે. ગુણોથી તો કર્મોની નિર્જરા થાય. પરંતુ બંધ કેવી રીતે થાય ? અને જો સંયમ જેવા ગુણથી આહારક બંધાય તો સાતમાં ગુણઠાણા કરતાં આઠમા ગુણઠાણાદિમાં તો વિશુદ્ધ-વિશુદ્ધ સંયમ હોય છે. તો આહારકલિક વધારે વધારે સારું બંધાવું જોઈએ. તેના બદલે આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગથી બંધવિચ્છેદ થઈ જાય છે. તે કેમ ઘટશે? તથા તીર્થંકર નામકર્મનો બંધ “સમ્યકત્વથી” થાય છે. એમ ઉપર સમજાવો છો પરંતુ અહીં પણ સમ્યકત્વ એ આત્માનો ગુણ છે ગુણો તો કર્મક્ષયના હેતુ છે તે બંધના હેતુ કેવી રીતે બને ? અને જો બંધના હેતુ બને તો આઠમા ગુણઠાણાથી આગળ સત્વ તો વધુ નિર્મળ નિર્મળ હોઈ શકે છે તો આઠમાના છઠ્ઠા ભાગે બંધવિચ્છેદ શા માટે માન્યો ? વળી ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક આ ત્રણમાંથી કોઈ પણ સમ્યકત્વની સાથે તીર્થકર નામકર્મના બંધનો અન્વયવ્યતિરેક સંબંધ ઘટતો નથી. ઔપશમિક ચારથી અગિયાર સુધી છે. જો ઔપશમિક સમ્યકત્વથી તીર્થકર નામકર્મ બંધાતું હોય તો અગિયાર સુધી બંધાવું જોઈએ. તેવી જ રીતે ક્ષાયિક ૪ થી ૧૪ સુધી છે. તેના નિમિત્તે જો તીર્થંકરનામ કર્મ બંધાય તો ચૌદમા ગુણઠાણા સુધી બંધાવું જોઈએ. તથા ક્ષયોપશમ સમ્યકત્વના નિમિત્તે બંધાય એમ જો કહીએ તો સાતમા સુધી જ બંધાવું જોઈએ. જ્યારે શાસ્ત્રોમાં તીર્થંકરનામ કર્મનો બંધ તો આઠમાનrછઠ્ઠો ભાગ સુધી જ કહ્યો છે. ત્યાં સુધીનો બંધ તો કોઈ પણ સમ્યકત્વની સાથે અન્વયવ્યતિરેક સંબંધ પામતો નથી તથા ચોથા ગુણઠાણાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધીમાં ત્રણમાંથી કોઈ પણ એક સમ્યકત્વ હોવા છતાં જિનનામ નથી પણ બંધાતું. તેથી સમ્યકત્વ પ્રત્યયિક તીર્થકર નામકર્મનો બંધ છે. એમ કેમ કહેવાય ? સારાંશ કે સંયમ અને સમ્યકત્વ એ તો આત્માના ગુણો છે. અને ગુણોથી તો નિર્જરા થાય પરંતુ બંધ થાય નહીં તો અહીં આ પ્રમાણે કેમ કહ્યું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy