________________
૧૬૧
ચાલુ જ છે. તેથી આ ત્રસકાયની હિંસાની વિરતિ અત્યન્ત અલ્પ પ્રમાણમાં હોવાથી અહીં તેની વિવક્ષા કરી નથી. તેથી અવિરતિ પ્રત્યયિક પણ બંધ પાંચમે કહ્યો છે. અથવા જ્યાં સુધી સર્વવિરતિ ન આવે ત્યાં સુધી અંશે પણ અવિરતિ ચાલુ હોવાથી તનિમિત્તક કર્મબંધ પણ હોય જ છે.
પ્રમત્તથી સૂક્ષ્મપરાય સુધીનાં પાંચ ગુણસ્થાનકોમાં માત્ર કષાય અને યોગ એ બે બંધહેતુ પ્રત્યયિક જ બંધ છે. આ પાંચે ગુણઠાણાઓમાં મિથ્યાત્વનો ઉદય તો નથી. પરંતુ સાથે સાથે અવિરતિ પણ નથી, કારણ કે આ સર્વે ગુણસ્થાનકો સર્વવિરતિવાળાનાં જ છે. માટે દ્વિપ્રયિક બંધ છે.
- તથા ઉપશાન્તમોહ, ક્ષીણમોહ અને સયોગી આ ત્રણ ગુણઠાણે માત્ર એકલો યોગ પ્રત્યયિક જ બંધ છે. કારણ કે કષાયોનો પણ ઉપશમ અથવા ક્ષય થયેલ હોવાથી ઉદય અટકેલો છે. અને ચૌદમા ગુણઠાણાના જીવો તો ચારે પ્રકારના બંધહેતુ વિનાના હોવાથી કર્મબંધ કરતા જ નથી. તેથી ત્યાં કર્મોનો આશ્રવ જ નથી. અનાશ્રવતા જ છે. એટલે કે સર્વ સંવરભાવ છે. પર છે
હવે આઠ કર્મના ઉત્તરભેદો બંધને આશ્રયી ૧૨૦ છે. તેમાં કઈ કઈ કર્મપ્રકૃતિઓ કેટલા કેટલા મૂલ બંધહેતુઓથી બંધાય છે. તે શિષ્યગણના ઉપકાર માટે કહે છે. चउ मिच्छ मिच्छअविरइ-पच्चइया साय सोल पणतीसा। जोग विणु तिपच्चइया-हारगजिणवज सेसाओ॥ ५३॥ (चतुर्मिथ्यात्वमिथ्यात्वाविरतिप्रत्ययिकाः सातषोडशपञ्चत्रिंशत्प्रकृतयः થોડાં વિના ત્રિપ્રત્યયા મારગવર્ના: શેષા: / વર )
શબ્દાર્થવડ= ચાર બંધહેતુ નિમિત્તે, સોત= સોળ પ્રકૃતિ, f= મિથ્યાત્વના નિમિત્તે, પાતીસા- પાંત્રીસ પ્રકૃતિઓ છે. મિવિરવિવામિથ્યાત્વ-અને ગોવિપુ= યોગ વિના, અવિરતિના નિમિત્તે, |
ઉતપન્વય= ત્રણના નિમિત્તે સાથે= સાતા,
દાનિવઝસાસો આહારક અને
જિનનામવર્જીને બાકીની બધી.
ક-૪/૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org