SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય કર્મગ્રંથ રત્નોમાં (પૃથ્વીકાયમાં), વાવડીઓમાં (અકાયમાં), અને કમળોમાં (વનસ્પતિકાયમાં) ઉત્પન્ન થાય છે તેથી તે ભવને યોગ્ય એકેન્દ્રિયસ્થાવર અને આતમ નામકર્મ બાંધે છે. પહેલી-બીજી અને ત્રીજી નરકના જીવો દેવદ્વિકાદિ ૧૯ વિના ૧૦૧ ઓથે બાંધે છે. તેની જેમ અહીં બંધ જાણવો, પરંતુ એકેન્દ્રિયત્રિકના બંધસહિત બંધ જાણવો એટલે દેવદ્વિકાદિ ૧૯ ઓછી ન કરતાં દેવદ્વિકાદિ ૧૬ જ ઓછી કરવી. માટે પહેલા-બીજા દેવલોકના દેવો ઓથે ૧૦૪ બાંધે છે. મિથ્યાત્વે તીર્થંકરનામકર્મ વિના ૧૦૩ બાંધે છે. બીજે ગુણઠાણે આ એકેન્દ્રિયત્રિક ન બંધાતું હોવાથી નપુંસકચતુષ્કની સાથે જ બંધમાંથી નીકળી જાય છે. માટે ૯૬ બંધાય છે. ત્રીજે ૭૦ અને ચોથે ગુણઠાણે ૭૨ બંધાય છે. એમ પહેલા-બીજા દેવલોકમાં સમજવું. ૩૪ ભવનપતિ-વ્યંતર અને જ્યોતિષ દેવો પણ પહેલા-બીજા દેવલોકની જેમ જ બંધ કરે છે. કારણ કે તેઓ રત્નોમાં, વાવડીઓમાં, અને કમળોમાં પણ ઉત્પન્ન થાય છે. પરંતુ તેવા પ્રકારના દેવો તથાવિધ વિશુધ્ધિના અભાવે તીર્થંકર નામકર્મ બાંધતા નથી. તેથી ઓધે અને અવિરતિ સમ્યક્ત્વગુણઠાણે તીર્થંકરનામકર્મ બંધાતું નથી. માટે ઓધે ૧૦૩, મિથ્યાત્વે ૧૦૩, સાસ્વાદને ૯૬, મિશ્ર ૭૦, અને અવિરતે ૭૧ બાંધે છે. । ૧૧ । ભવનપતિ-વ્યંતર અને જ્યોતિષ્મ દેવોમાં બંધનું ચિત્ર નં. ગુણસ્થાનક શાના દર્શ. વેદ મોહ આયુ નામ ગોત્ર અંત કુલ ઓથે ૫ ૯ ૨ ૨૬|ર પર ૫ ૧૦૩ ૧ મિથ્યાત્વ ૫ ૫૨ ર ૫ ૧૦૩ ૨ સાસ્વાદન ૫ ૪૭ ર ૫ ૯૬ ૩ મિશ્ર ૫ ૩૨ ૧ ૪ અવિરત ૩૨ ૧ Jain Education International ૫ ૯ ૯ ૬ LA જ જ لم ર ૨૬ ૨ ૨૪૩ ૨ ૧૯૨૦ ૧૯ ૧ For Private & Personal Use Only ~ عام ૫ ૫ ૭૦ ૭૧ www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy