SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ બન્ધસ્વામિત્વ શબ્દાર્થ સાતમી નરકમાં તીર્થંકરનામકર્મ અને મનુષ્યાયુષ્ય વિના ઓથે ૯૯ બંધાય છે. મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર વિના મિથ્યાત્વે ૯૬ બંધાય છે. અને તિર્યંચાયુષ્ય તથા નપુંસકચતુષ્ક વર્જીને સાસ્વાદને ૯૧ પ્રકૃતિઓ બંધાય છે. . ૭II વિવેચન- સાતમી નરકના જીવો ઓથે તીર્થકર નામકર્મ તથા મનુષ્પાયુષ્ય બાંધતા નથી તેથી ૧૦૧ માંથી બે પ્રકૃતિ બાદ કરતાં ઓથે ૯૯ બાંધે છે. કારણ કે ચોથી-પાંચમી અને છઠ્ઠી નારકીમાં જો તીર્થકર નામકર્મ યોગ્ય બંધના અધ્યવસાયો નથી તો સાતમી નારકીમાં તો હોય જ ક્યાંથી ? માટે તીર્થકર નામકર્મનો બંધ નથી. તથા સાતમી નારકીમાંથી નીકળેલા જીવો નિયમા તિર્યંચગતિમાં જ જાય છે. મનુષ્યગતિમાં જતા નથી માટે મનુષ્યાયુષ્ય પણ બાંધતા નથી. આ બે વિના ઓથે ૯૯ પ્રકૃતિઓ બંધાય છે. મિથ્યાત્વ ગુણસ્થાનકે ૯૯ માંથી મનુષ્યદ્ધિક અને ઉચ્ચ ગોત્ર એમ ત્રણ વિના ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. સાતમી નરકના જીવો મરીને મનુષ્ય થતા નથી એટલે જ્યાં સુધી તિર્યંચગતિ પ્રાયોગ્ય બંધ થતો હોય ત્યાં સુધી મનુષ્યગતિ પ્રાયોગ્ય મનુષ્ય ત્રિક અને ઉચ્ચગોત્રકર્મ આ ચારે પ્રકૃતિઓ આ જીવો બાંધતા નથી. માટે ઓથે જેમ મનુષ્યાયુષ્યનો બંધ ઓછો કર્યો છે તેમ ત્યાં જ (ઓથે જ) મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્ર આ ત્રણ કર્મ પણ ઓછાં કરવાં જ જોઇએ, પરંતુ ત્રીજા-ચોથા ગુણઠાણે તિર્યંચ પ્રાયોગ્ય બંધવિચ્છેદ થયા પછી આ જીવો કંઈક વિશુધ્ધ હોવાથી તથા અન્ય કોઈગતિ પ્રાયોગ્ય બંધ રહ્યો ન હોવાથી મનુષ્ય પ્રાયોગ્ય નામકર્મ અને ગોત્રકર્મ બાંધે છે. કારણ કે દેવ-નરક પ્રાયોગ્ય બંધ ભવસ્વભાવે જ નથી અને તિર્યંચ પ્રાયોગ્ય બંધ બીજા ગુણઠાણા પછી ગુણ- પ્રત્યયિક વિચ્છેદ પામેલ છે તેથી ત્રીજા-ચોથા ગુણઠાણે મનુષ્ય પ્રાયોગ્ય નામ-ગોત્રનો બંધ થાય છે. તેથી આ ત્રણ પ્રકૃતિઓ ત્રીજે-ચોથે આવવાની હોવાથી ઓથે બંધમાં હોય છે. પહેલે બીજે ગુણઠાણે તિર્યંચ પ્રાયોગ્ય પ્રકૃતિઓનો બંધ સંભવી શકે છે તેથી આ ત્રણ પ્રકૃતિઓ ત્યાં બંધાતી નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001088
Book TitleKarmagrantha Part 3 Bandh Swamitva Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1996
Total Pages132
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy