SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ - પ્રથમ કર્મગ્રંથ પ્રશ્ન- કેવળજ્ઞાનના કાળે મત્યાદિ શેષ ચાર જ્ઞાનો હોય કે ન હોય? ઉત્તર- નયવિશેષથી બન્ને દૃષ્ટિઓ પ્રવર્તે છે. કેટલાક આચાર્યોનું મન્તવ્ય છે કે કેવલજ્ઞાન ક્ષાયિકભાવનું છે. અને શેષ ચાર જ્ઞાનો ક્ષયોપશમભાવના છે. તેથી જ કેવળજ્ઞાન નિરાવરણ હોય છે. અને શેષ ચાર જ્ઞાનો સાવરણ (કર્મના ઉદયની અપેક્ષાવાળાં) હોય છે. માટે કેવલજ્ઞાન વખતે શેષ ચાર જ્ઞાનો હોતો નથી. વળી તેઓનું કહેવું છે કે સૂર્યની આડું વાદળ આવે અને સૂર્ય ઢંકાઈ જાય ત્યારે જે મન્દ-મન્દતર, મન્દતમ પ્રકાશ થાય છે તે કૃત્રિમ છે. મેઘના આવરણને લીધે કલ્પિત પ્રકાશ છે. તેને જ કટ-કુટી સ્વરૂપ આવરણો ઢાંકે છે. પરંતુ જ્યારે કટ-કુટી સ્વરૂપ આવરણો અને મેઘનું આવરણ એમ સર્વ આવરણ ચાલ્યાં જાય ત્યારે કલ્પિતભેદ વાળો મદ-મદતર અને મન્દતમ પ્રકાશ હોતો નથી, ફક્ત મૂલ તડકો જ પ્રગટ થાય છે. તેવી રીતે કેવલજ્ઞાન રૂ૫ સૂર્ય કેવલજ્ઞાનાવરણ સ્વરૂપ મેઘથી ઢંકાય છે ત્યારે જીવસ્વભાવ વિશેષને લીધે જે કેવલજ્ઞાનની યત્કિંચિત પ્રભા ખુલ્લી રહે છે તે જ પ્રજાને મત્યાદિજ્ઞાન કહેવાય છે. તેને જ કટકુટી સ્વરૂપ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મો ઢાંકે છે. પરંતુ જ્યારે કટ-કુટી સ્વરૂપ મતિજ્ઞાનાવરણીયાદિ કર્મો અને મેઘસમાન કેવલજ્ઞાનાવરણીયકર્મ એમ સર્વ આવરણોનો વિલય થાય છે ત્યારે સૂર્યના પ્રકાશ સમાન મૂલ કેવલજ્ઞાન જ પ્રગટ થાય છે. મન્દ-મન્દતર-મન્દતમ પ્રકાશ સમાન મત્યાદિ જ્ઞાનો હોતાં નથી. બીજા કેટલાક આચાર્યોનું એવું મન્તવ્ય છે કે કેવલજ્ઞાનની પ્રાપ્તિ કાલે જેમ કેવલજ્ઞાનાવરણીયનો ક્ષય થાય છે. તેમ શેષ ચાર જ્ઞાનાવરણીય કર્મોનો પણ ક્ષય થાય જ છે માટે કેવલજ્ઞાનના કાલે શેષ ચાર જ્ઞાનો પણ હોય જ છે. ફક્ત નિસ્તેજ હોવાથી તેનો વ્યવહાર થતો નથી. જેમ સૂર્ય અસ્ત થઇ જાય ત્યારે રાત્રિ કાળે ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારા પ્રકાશે છે પરંતુ તે જ ચંદ્રાદિ સૂર્યની હાજરી હોય ત્યારે આકાશમાં વિદ્યમાન હોવા છતાં પ્રકાશ કરતા નથી. સૂર્યના પ્રકાશમાં અંતર્ગત થઈ જાય છે. તેમ અહીં કેવલજ્ઞાનની બાબતમાં પણ આ પ્રમાણે જ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy