SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ કર્મગ્રંથ કાળથી ઋજુમતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અતીતઅનાગત કાળના મનોગત ભાવોને જાણે છે અને વિપુલમતિ કંઈક વધારે કાળના ભાવોને જાણે છે અને વધારે સ્પષ્ટપણે જાણે છે. ભાવથી ઋજુમતિ મનોગત ભાવના અનંત પર્યાયોને જાણે છે અને વિપુલમતિ તેનાથી કંઈક અધિક પર્યાયોને જાણે છે અને વધારે સ્પષ્ટતર જાણે છે. ઋજુમતિ કરતાં વિપુલમતિ વધારે સ્પષ્ટતર જાણતું હોવાથી વિશુદ્ધ છે તથા જુમતિ પ્રતિપાતી હોઈ શકે છે અર્થાત્ આવેલું ચાલ્યું પણ જઈ શકે છે અને વિપુલમતિ અપ્રતિપાતી છે. આવ્યા પછી કદાપિ ચાલ્યું જતું નથી. યાવત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી સદાકાળ સ્થાયી જ રહે છે. પ્રશ્ન- અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાનમાં પરસ્પર શું વિશેષતા? ઉત્તર- આ બન્ને જ્ઞાનોમાં નીચે જણાવ્યા મુજબ પરસ્પર ચાર પ્રકારે તફાવત છે. (૧) વિશુદ્ધિ, (૨) ક્ષેત્ર, (૩) સ્વામી, (૪) વિષય. (૧) વિશુદ્ધિ- અવધિજ્ઞાની જે રૂપી દ્રવ્યોને જાણે છે તેમાંથી મન:પર્યવજ્ઞાની મનોવર્ગણા માત્રને જ જાણે છે. પરંતુ અતિશય વિશુદ્ધપણે જાણે છે. (૨) ક્ષેત્રથી અવધિજ્ઞાની ઉત્કૃષ્ટથી સમસ્ત લોક, અને અલોકમાં પણ અસંખ્યાત ખંડ સુધી જાણે છે. અને મન:પર્યવજ્ઞાની માત્ર અઢીદ્વીપ ક્ષેત્ર જ જાણે છે. (૩) સ્વામી- અવધિજ્ઞાન ચારે ગતિના જીવોને થઈ શકે છે. અને મન:પર્યવજ્ઞાન માત્ર મનુષ્યગતિમાં જ , તે પણ સંયમી આત્માને જ, તેમાં પણ કોઈ વિશિષ્ટ મહાત્માને જ થાય છે. (૪) વિષયઅવધિજ્ઞાનનો વિષય ઉત્કૃષ્ટથી સમસ્ત રૂપી દ્રવ્યો છે પરંતુ મન:પર્યવજ્ઞાનનો વિષય માત્ર મનોવર્ગણા જ, તે પણ સંજ્ઞી પં. વડે ગૃહીત, તેમાં પણ માત્ર અઢીદ્વીપવર્તી જ. ૧. જુઓ-નંદીસૂત્ર-મૂળ તથા ટીકા. પૃષ્ઠ ૧૦૭-૧૦૮. Jain Education International For Private & Personal Use Only. www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy