SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૩૫ ઉચિત કહેવાય ? સાધુસંતે ઉત્તર આપ્યો કે સૂર્યને અમે એવા ભગવાન માનીએ છીએ કે જેવા તમે નથી માનતા. સાંજના સમયે સૂર્યભગવાન જવાના છે એવો ખ્યાલ આવે તેની વિરહ વેદનાથી બે ઘડી પહેલાં જ અમે આહાર-પાણી છોડી દઈએ છીએ, તેમના વિરહમાં (રાત્રિમાં) કંઈ જ જમતા નથી, તેમના આગમન પછી પણ તેઓનું દર્શન જગતમાં બધે વ્યાપે ત્યાં સુધી (૪૮મિનિટ) કંઈ લેતા નથી,પછી જ આહાર પાણી સ્વીકારીએ છીએ અને તમે તેમને ભગવાન માનવા છતાં તેમના વિરહમાં આનંદ –ચમન કરો છો. કહો કે હવે સૂર્યને અમે સાચા ભગવાન માનનારા કે તમે સાચા ભગવાન માનનારા ? આ ઉત્તર શાસ્ત્રાનુયાયી ભલે નથી પરંતુ યથોચિત છે. તેથી તે ઔત્પાતિકી બુદ્ધિ જાણવી. (અહીં શિક્ષકે રોહિણીયા ચોરનાં, અકબર-બીરબલનાં અને અભયકુમારની બુદ્ધિનાં યથોચિત દૃષ્ટાન્ત સમજાવવાં) (૨) વૈનાયિકી- ગુરુજીના વિનયથી જે બુદ્ધિ આવે તે વૈનાયિકી. અભ્યાસ કરતાં કરતાં ગુરુ પ્રત્યેના વિનયભાવથી પ્રાપ્ત કરેલી, ગુરુની પ્રસન્નતાથી જે બુદ્ધિ આવે તે વૈનાયિકી કહેવાય છે. અહીં વિનીત-અવિનીત શિષ્યોમાં રેતીમાં પડેલાં પગલાં દેખી હાથણીનો, એક આંખે કાણીનો, તેના ઉપર રાજાની રાણી છે તેનો, તે સગર્ભા છે તેનો, અને પૂર્ણ દિવસવાળી છે તેનો જે નિર્ણય કર્યો તેનું દૃષ્ટાન્ત સમજી લેવું. (૩) કાર્મિકી- કામ કરતાં કરતાં જે બુદ્ધિ ઉત્પન્ન થાય તે કાર્મિકી. જેમકે ચિત્રકારની કળા, દરજીની કળા, સોનીની કળા, હજામની કળા અને રસોઈની કળા, ભરતગુંથણની કળા વિગેરે જે બુદ્ધિઓ છે તે. (૪) પારિણામિકી= પરિણામ એટલે ઉંમરવિશેષ, વયે વિશેષ, વયના પરિપાકથી જે બુદ્ધિ આવે તે, ઉમ્મરલાયક સ્ત્રી-પુરુષોએ અનેક પ્રકારના તડકા-છાંયડો જોયા હોય, સંકટના પ્રસંગોમાંથી પસાર થયાં હોય તેથી તેઓની ઘડાયેલી- કસાયેલી જે બુદ્ધિ તે. “ઘરડાં ગાડાં વાળે” એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy