SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક - ૧૭ પંચેન્દ્રિયજાતિ વૈક્રિયશરીર-વૈક્રિયઅંગોપાંગ, હુડકસંસ્થાન ઈત્યાદિ તે તે ભવને યોગ્ય જ નામકર્મની કર્મપ્રકૃત્તિઓ ઉદયમાં આવે છે. માટે નામકર્મ આયુષ્યકર્મને અનુસરનારું હોવાથી આયુષ્ય પછી નામકર્મ કહેલ છે. નામકર્મની જો પુણ્યપ્રકૃતિઓ ઉદયમાં આવી હોય તો પ્રાયઃ ઉચ્ચગોત્ર અને નામકર્મની જો પાપપ્રકૃતિઓ ઉદયમાં આવી હોય તો પ્રાયઃ નીચગોત્ર કર્મ ઉદયમાં આવે છે. તેથી નામકર્મ પછી ગોત્રકર્મ કહ્યું છે. ઉચ્ચગોત્રના ઉદયવાળાને પ્રાયઃ અંતરાય કર્મનો ઉદય મંદ હોય છે. અને નીચગોત્રના ઉદયવાળાને પ્રાયઃ અંતરાય કર્મનો ઉદય તીવ્ર હોય; છે. એમ અંતરાયકર્મ પ્રાયઃ ગોત્રકર્મના ઉદયને અનુસરનારું હોય છે તેથી ગોત્રકર્મ પછી અંતરાયકર્મ કહ્યું છે. આ પ્રમાણે આઠે કર્મોના ઉપન્યાસનો ક્રમ સહેતુક છે. પરંતુ મન ફાવે તેમ નિર્દેતુક નથી. ૩. હવે આઠ કર્મોમાંના એકેક કર્મનું ક્રમશઃ વર્ણન કરવામાં આવે છે. મફ-સુઝ-મોહી--વતાન, નાપા તત્વ મફતા ! વંછાવાદ-વડા, મા-નવ-વિવિદAT I૪ છે. (मति-श्रुतावधि-मन केवलानि, ज्ञानानि तत्र मतिज्ञानम् । व्यञ्जनावग्रहश्चतुर्धा, मनोनयनं विनेन्द्रियचतुष्कात्) શબ્દાર્થ :- મડ્ડમતિજ્ઞાન, સુ-શ્રુતજ્ઞાન, મોદી=અવધિજ્ઞાન, મા મન:પર્યવજ્ઞાન, વેવાણ કેવળજ્ઞાન, નાળિ=એમ પાંચ જ્ઞાનો છે, તત્થ= ત્યાં, માળ=મતિજ્ઞાન કહેવાય છે, વંગણવ-વ્યંજનાવગ્રહ, વડદ-ચાર પ્રકારે છે. મg-નયણ-મન અને ચક્ષુ, વિ=વિના, તે બે ઇન્દ્રિયો સિવાય દ્રિય વડા=શેષ ચાર ઇન્દ્રિયોના ભેદથી. ગાથાર્થ- મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન-અને કેવળજ્ઞાન એમ કુલ પાંચ જ્ઞાનો છે. ત્યાં પ્રથમ મતિજ્ઞાન સમજાવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy