SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ પ્રથમ કર્મગ્રંથ પથારીમાંથી ઉભો થાય, ચાલવા માંડે, દિવસે ચિંતવેલું કાર્ય કરીને પાછો પથારીમાં આવીને સૂઈ જાય. ને છતાં જો ઉંઘ ન ઉડે... તો આવી ગાઢ નિદ્રા એ થિદ્ધી નિદ્રા જાણવી. આ વ્યાખ્યાઓને અનુસારે શ્રી વીર પ્રભુની કે સ્વ. પૂજ્યપાદ ગુરુદેવની નિદ્રામાં નિદ્રાનું જ લક્ષણ જાય છે. પ્રચલા કે પ્રચલા-પ્રચલાનું નહીં. તેથી ઉક્ત અસંગતિ રહેતી નથી. ૨૨. જેને દર્શન મોહનીયની એક જ મિથ્યાત્વ મોહનીય પ્રકૃતિ સત્તામાં હોય તેવો જીવ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એમ ત્રણ કરણ કરીને જ સમ્યકત્વ પામી શકે છે. અનાદિ મિથ્યાત્વી જીવ સૌ પ્રથમ આ રીતે સમ્યક્ત્વ પામે છે. આ પ્રથમ સમ્યક્ત્વ ઔપશમિક સમ્યકત્વ હોય છે. આ સમ્યકત્વ પામવાની સાથે જ ત્રણ પુંજ થવા માંડે છે ને તેથી જીવ મિશ્ર મોહનીયની તેમજ સમ્યકત્વ મોહનીયની પણ સત્તાવાળી થાય છે. ત્યારબાદ હવે જો ફરીથી મિથ્યાત્વે જાય તો મિથ્યાત્વ પ્રયુફત અશુદ્ધિના કારણે મિશ્ર મોહનીય અને સમ્યકત્વ મોહનીયને ફરીથી મિથ્યાત્વ મોહનીય રૂપે બનાવવાનું ચાલુ કરે છે. ને જો એ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના કાળ કરતાં અધિક કાળ માટે મિથ્યાત્વે જ રહે તો સમ્યકત્વ મોહનીય તથા મિશ્ર મોહનીયનું સત્તાગત બધું દલિક મિથ્યાત્વરૂપે બની જવાથી (ઉવેલાઈ જવાથી) હવે આ બે પુંજની સત્તા રહેતી નથી, માત્ર મિથ્યાત્વ મોહનીયની જ સત્તા રહે છે. હવે ફરીથી એણે સમ્યકત્વ પામવું હોય તો અનાદિ મિથ્યાત્વીની જેમ ત્રણ કરણ કરવાં જ પડે છે. ને એ જે સમ્યકત્વ પામે છે તે ઔપથમિક સમ્યકત્વ જ હોય છે. આ પણ જાતિથી પ્રથમ સમ્યકત્વ તુલ્ય હોવાથી પ્રથમ સમ્યકત્વ જ કહેવાય છે. આખા ભવચક્રમાં આવાં પ્રથમ સમ્યક્ત્વ અસંખ્યવાર પામી શકાય છે, પણ એ બધું જાતિથી એક જ કહેવાય છે. આખા ભવ ચક્રમાં ઉપશમ શ્રેણી ચાર વાર એક જીવ પામી શકે છે એટલે આ ચાર વાર તથા પ્રથમ સમ્યકત્વ જાતિથી એકવાર એમ કુલ પાંચ વાર ઉપશમ સમ્યકત્વ આવે છે એવું કહેવાય છે. (વસ્તુતઃ અસંખ્યવાર આવે છે એમ જાણવું.) પહેલે ગુણઠાણે આવેલા જીવ, સમ્યકત્વ મોહનીય ને મિશ્ર મોહનીય હજુ ઉવેલાઇ ગયા ન હોય, પર્યાપ્ત માત્રામાં વિદ્યમાન હોય, ને ફરીથી સમ્યક્ત્વ પામવું હોય તો કરણ કરવાં પડતાં નથી, માત્ર અધ્યવસાયો વિશુદ્ધ થવા પર એ ચોથે ગુણઠાણે ચાલ્યો જાય છે. એ વખતે ક્ષાયોપથમિક સમ્યકત્વ હોય છે તથા એ વખતે સમ્યક્ત્વ મોહનીય પુંજનો ઉદય હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy