SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૨૩૩ શંકા દૂર રહેલા પદાર્થ માટે “આ હૃદું હશે કે પુરુષ” એવી જિજ્ઞાસા ઊભી થાય, ઇહા ચાલે ને પછી અપાય થાય, એ તો બરાબર છે. પણ સમીપવર્તી ઘટ વગેરેનો તો આંખ ખોલવાની સાથે જ “આ ઘડો છે.” એવો નિર્ણય થઈ જાય છે. તો ત્યાં સીધો અપાય જ થઇ ગયો માનવો જોઇએ ને? ને તેથી “અનીહિતનો અપાય થતો નથી' આ વાત કયાં ઊભી રહે? સમાધાનઃ અવગ્રહને ઈહા થયા વગર અપાય કયારે ય થતો નથી. પણ અભ્યસ્તદશામાં આ બે એટલા શીધ્ર થઈ જતા હોય છે કે આપણને એનો ખ્યાલ આવતો નથી ને એમ જ લાગે છે કે સીધો અપાય થઈ ગયો. શંકાઃ અર્થાવગ્રહ તો એક સમયનો હોવાથી ખ્યાલમાં ન આવે એ બરાબર છે. પણ વિદ્યમાનપદાર્થના ધર્મોની વિદ્યમાનતા ને અવિદ્યમાનપદાર્થના ધર્મોની અવિદ્યમાનતા વગેરેની વિચારણારૂપ ઈહા જો પ્રવર્તતી હોય તો એ અનુભવાવી જ જોઇએ ને? વિચારણા ચાલવાનો કોઈ જ અનુભવ હોતો નથી, તો ઇહા માનવાની શી જરૂર છે? સમાધાનઃ ઘટ વગેરે સામે રહેલા પદાર્થનો બોધ અનેક પ્રકારે થઈ શકે છે. જેમ કે “આ ઘડો છે' અથવા “આ મૃન્મય પદાર્થ છે કે “આ દ્રવ્ય છે? ને ઠીક ઠીક અંધારું હોય ત્યારે આ કંઇક વસ્તુ છે વગેરે. એના એ જ પદાર્થનો આંખ દ્વારા થતો નિર્ણય અલગ-અલગ પ્રકારનો કેમ થાય છે? એ વિચારવું જોઈએ. સામે રહેલા પદાર્થમાં કેટલાક ઘડાના વિશિષ્ટ ધર્મો છે જે અઘટમાં (=ઘટભિન્ન કોડિયું, જળ વગેરેમાં) હોતા નથી. કેટલાક દરેક મૃન્મય પદાર્થમાં હોય એવા સાધારણ ધર્મો છે જે અમૃન્મય (માટીમાંથી નહીં બનેલી જળ, ગુણ વગેરે) ચીજોમાં હોતા નથી, ને કેટલાક દ્રવ્યમાત્રમાં રહેલા સાધારણ ધર્મો છે. આમાંથી કોઈ પણ ધર્મ નજરમાં ન આવે તો તો કોઈ જ પ્રકારનો નિર્ણયાત્મક બોધ થાય નહીં. (જેમ કે નૈઋયિક અર્થાવગ્રહમાં, એમાં માત્ર પ્રકાશ હોય છે “આ શબ્દ છે' કે “આ રૂપ છે” એટલો સાવ સામાન્ય નિર્ણયાત્મક બોધ પણ હોતો નથી. એ પણ એટલા માટે કે આવો નિર્ણય કરવા માટે પણ એના શબ્દ કે રૂપ તરીકેના શબ્દત્વ કે રૂપત્ર વગેરે ધર્મો નજરમાં આવવા આવશ્યક હોય છે.) તેથી જો કોઈ પણ નિર્ણયાત્મક બોધ (અપાય) થતો હોય તો, ત્યાં, અમુક ધર્મો નજરમાં લેવામાં આવ્યા છે એવું માનવું જ પડે છે. ઇન્દ્રિયને સન્મુખ થયેલા પદાર્થમાં રહેલા “શબ્દત્વ' ધર્મને પણ જો નજરમાં લેવાયો ન હોય ને છતાં એનો “આ શબ્દ છે” એવો નિર્ણય થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy