SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પ્રથમ કર્મગ્રંથ કેવલજ્ઞાન થાય છે. અન્ય પણ જે જીવોને અવધિ-મનઃ પર્યવ આ બન્ને જ્ઞાન થાય છે એને લગભગ પહેલાં અવધિ ને પછી મન:પર્યવ થાય છે. એટલે સામાન્ય રીતે આવો ઉત્પત્તિક્રમ હોવાથી અવધિ પછી મન:પર્યવજ્ઞાન કહ્યું છે. ૯. વ્યંજનાવગ્રહ-અર્થાવગ્રહને આ રીતે પણ સમજાવી શકાય જેમ ઇલેકટ્રીક લેમ્પ સ્વીચ ઓન કરવા માત્રથી પ્રકાશવા માંડે છે જ્યારે ઘી કે તેલનો દીવો તરત પ્રગટતો નથી, કિન્તુ ૧૫-૨૦ સેકન્ડ સુધી દિવાસળી ધરી રાખીએ ત્યારબાદ પ્રકાશે છે. ચહ્યું અને મન ઇલેકટ્રીક લેમ્પ જેવા છે. એના આવરણકર્મનો ક્ષયોપશમ ને ઉપકરણેન્દ્રિય પટુ હોવાના કારણે તૂર્ત જ વિષયનો પ્રકાશ (જ્ઞાન) કરે છે. જ્યારે શેષ ઇન્દ્રિયો સંબંધી ક્ષયોપશમની અને ઉપકરણેન્દ્રિયની એટલી પટુતા હોતી નથી. તેથી એ તૂર્ત પ્રકાશ કરતી નથી. પણ ઘીના દીવાની જ્યોત પ્રગટાવવા માટે જેમ દિવાસળી ધરી રાખીને દિવેટ પ્રકાશમાન થાય એવી ભૂમિકા તૈયાર કરવી પડે છે એમ ઇન્દ્રિયને વિષયસંપર્ક દ્વારા વિષયનો પ્રકાશ કરવાની ભૂમિકા પર લાવવી પડે છે. પર્યાપ્ત માત્રામાં વિષયસંપર્ક થવા પર ઇન્દ્રિય જ્ઞાનપ્રકાશ ફેલાવવા માંડે છે. સળગતી દિવાસળીના સંપર્ક કાળે જ્યોત પ્રકાશતી ન હોવા છતાં એ સંપર્ક એનું કારણ તો બને જ છે. તેમ, આ વિષયસંપર્ક કાળે જ્ઞાનપ્રકાશ ન હોવા છતાં એની ભૂમિકા તૈયાર થતી હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરી એ પ્રક્રિયાને “વ્યંજનાવગ્રહ” નામ આપી મતિજ્ઞાનના ભેદ તરીકે કહેવામાં આવે છે. ૧૦. પ્રશ્નઃ “આ પુરુષે ફૂકેલા શંખનો અવાજ છે” એવો નિર્ણય થયા પછી પણ આ વૃદ્ધપુરુષે ફૂકેલા શંખનો અવાજ હશે કે યુવાને કેલા કે કિશોરે ફૂકેલા? વગેરે જિજ્ઞાસા જાગી શકે છે, તો પછી ઇહા-પાછો અપાય. આવી પરંપરા કયારે પૂરી થાય? ઉત્તરઃ આગળ આગળ જિજ્ઞાસા જાગે જ એવું હોતું નથી, એટલે જિજ્ઞાસા અટકી જાય ત્યારે આ પરંપરા અટકી જાય છે. અથવા બીજો કોઈ વિક્ષેપ આવે, કે જિજ્ઞાસા જાગવા છતાં નિર્ણય કરવાનો ક્ષયોપશમ ન હોય તો પણ આ પરંપરા અટકી જાય છે. ૧૧. પ્રશ્નઃ અવગ્રહ-ઇહા વગેરેનો આ ક્રમ શા માટે કહ્યો છે? ઉત્તર: અવગ્રહથી અવગૃહીત ન હોય એની (અનવગૃહીતની) ઈહા થતી નથી. ઈહાથી ઈહિત ન હોય એનો (અનીહિતનો) અપાય થતો નથી. અપાયથી નિર્મીત ન હોય એની ધારણા થતી નથી. માટે આ જ ક્રમમાં અવગ્રહાદિ થતા હોવાથી આ ક્રમ કહ્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy