SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક બીજો મત એમ કહે છે કે કેવલજ્ઞાન કાળે મતિજ્ઞાનાવરણાદિ કર્મ પણ ક્ષીણ થયા હોવાથી મતિજ્ઞાનાદિ શા માટે ન હોય? ૨૩૧ એટલે કે જો આવરણ કરનાર કર્મ ક્ષીણ થઇ ગયું છે, તો આવરણ કરનાર કોઇ ન રહેવાથી એ જ્ઞાન પણ શા માટે પ્રગટ ન થાય? વળી એ ૪ જ્ઞાનોની વિદ્યમાનતા માનવામાં એક કારણ એવું પણ આપવામાં આવે છે કે, મતિજ્ઞાન વગેરેથી જે જ્ઞાન થાય છે એ કેવલજ્ઞાનીને પણ હોય તો છે જ (નહીંતર તો કેવલજ્ઞાન અધૂરું કહેવાય) માટે મતિજ્ઞાન વગેરે પણ હાજર હોય છે. છતાં, સૂર્યની હાજરીમાં ગ્રહ-નક્ષત્ર વગેરે વિદ્યમાન હોવા છતાં નિસ્તેજ બની જાય છે એમ કેવલજ્ઞાનની હાજરીમાં આ ચાર જ્ઞાનો પરાભૂત થઇ જાય છે. ૭. મતિ-શ્રુતમાં સ્વામી વગેરેનું સાધર્મ્ડ હોવા છતાં નીચે મુજબ વૈધર્મ પણ છે ને તેથી એ બન્ને એક નથી. પણ અલગ-અલગ છે. (૧) બન્નેનાં લક્ષણો જુદાં જુદાં છે. (૨) બન્નેનાં આવારક કર્મો જુદાં જુદાં છે. (૩) મતિજ્ઞાન કારણ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. (૪) મતિજ્ઞાન મૂક છે, શ્રુતજ્ઞાન મૂકેતરબોલકું છે. (૫) મતિજ્ઞાન સાભિલાપ કે નિરભિલાપ એમ બન્ને પ્રકારનું હોય છે જ્યારે શ્રુતજ્ઞાન સાભિલાપ જ હોય છે. (૬) ભલે થતી વખતે ગમે તે ઇન્દ્રિય દ્વારા થયું હોય, પણ જે શ્રુતજ્ઞાન હોય છે તે શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ યોગ્ય તો હોય જ છે. અર્થાત્ પુસ્તકમાં લખેલા અક્ષરો વાંચીને જે શ્રુતજ્ઞાન થાય છે એ ચક્ષુઇન્દ્રિય દ્વારા થયું હોવા છતાં, જો એ જ શબ્દો કોઇ બોલ્યું હોય ને પોતે સાંભળ્યા હોત તો શ્રોત્રેન્દ્રિય દ્વારા પણ એ શ્રુતજ્ઞાન થઇ જ શક્ત. આમ એમાં શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ યોગ્યતા તો રહી જ હોય છે. મતિજ્ઞાનમાં આવું નથી. ગોળ અને ખાંડની મીઠાશના ફરકને જીભ વડે જાણી શકાય છે પણ એને શબ્દોમાં ઉતારી શકાતો નથી ને તેથી એ ક્યારે ય શ્રોત્રેન્દ્રિયથી જાણી શકાતો નથી. આવું અન્ય ઇન્દ્રિયો દ્વારા કેટલુંય મતિજ્ઞાન થતું હોય છે જે નિરભિલાપ હોય છે ને શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ યોગ્ય હોતું નથી. તેથી મતિજ્ઞાન શ્રોત્રેન્દ્રિયોપલબ્ધિ યોગ્ય હોય જ એવો નિયમ નથી, જે પણ એનો શ્રુતજ્ઞાનથી ભેદ દર્શાવે છે. (૭) મતિજ્ઞાનના ૨૮ વગેરે પ્રકારો છે. જ્યારે શ્રુતજ્ઞાનના ૧૪ વગેરે પ્રકારો છે. જ ૮. જ્ઞાનોનો ઉત્પત્તિક્રમ મતિ, શ્રુત, અવધિ, મનઃ પર્યવજ્ઞાન ને કેવલજ્ઞાન આ છે. શ્રી તીર્થંકર દેવો છેવટે પૂર્વના ત્રીજા ભવમાં તો સમ્યક્ત્વ પામે જ. એટલે ત્યારથી મતિ-શ્રુત હોય છે. દ્વિચરમભવમાં દેવ કે નારકમાં અવધિજ્ઞાન પ્રગટ થાય છે. ને ચરમભવમાં દીક્ષા લે ત્યારે મનઃ પર્યવજ્ઞાન થાય છે. સાધના દ્વારા ઘાતીકર્મોના ક્ષયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy