SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ અભિપ્રાય) ભારતીય આસ્તિક દર્શનકારોએ જુદા-જુદા નામે કર્મનો સ્વીકાર તો કર્યો છે. પણ તેના સ્વરૂપ નિદર્શનમાં કયાંય ઊંડાણ કે સૂક્ષ્મતા જણાતી નથી. જ્યારે જૈન દર્શનકારોએ એ જ કર્મના સ્વરૂપને અનેક મૂળ આગમ ગ્રંથોમાં પ્રતિષ્ઠિત કરેલ છે. અને તેના ઉપરથી પછી પછીના પૂર્વાચાર્યો-પૂર્વ મહાપુરુષોએ અનેક ગ્રંથો, ટીકાઓ આદિની રચના દ્વારા ખૂબ ઊંડાણથી વિશદ વિવેચન કરેલ છે. વર્તમાનમાં એ કર્મના સ્વરૂપનો અભ્યાસ કરવા પ. પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મ. સા. રચિત કર્મગ્રંથો ખૂબ ઉપયોગી છે. આજથી લગભગ એંશી વર્ષ પહેલાં સદ્ગુણાનુરાગી પૂ. શ્રી કર્પરવિજયજી મ. સાહેબે પૂ. શ્રી જીવવિજયજી મ. સા. ના ટબાના આધારે તૈયાર કરેલ આ કર્મગ્રંથો શ્રી જૈન શ્રેયસ્કર મંડળ-મહેસાણા તરફથી પ્રકાશિત થયેલ, ત્યારબાદ પં. શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખે લગભગ પાંસઠ વર્ષ પૂર્વે તેનું ફરીથી સંપાદન કરી પુનર્મુદ્રિત તે જ સંસ્થા તરફથી કરાવેલ. ત્યારબાદ તેમાં કોઈ વિશેષ સુધારા વિના તેની જ આવૃત્તિઓ ફરી -ફરી પ્રકાશિત થયેલ. ભાષાકીય સુગમતાની દૃષ્ટિએ તેમાં થોડા સુધારા-વધારાની આવશ્યક્તા જણાતી હતી. માનનીય વિદ્વદ-રત્ન પં. શ્રી ધીરજલાલભાઈએ તે આવશ્યક્તા આ પ્રથમ કર્મગ્રંથ (કર્મવિપાક)ના વિવેચનને તેને અનુસારે છતાં નવેસરથી લખવા દ્વારા મહદ્અંશે પૂર્ણ કરી છે. અને બાકીના કર્મગ્રંથોનું વિવેચન પણ આ જ રીતે ફરીથી તૈયાર કરી જ્ઞાન-પિપાસુ આત્માઓના અધ્યયનમાં સહાયક બનશે. –એવી આશા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy