SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ પ્રથમ કર્મગ્રંથ (द्विविधपि चरणमोहं, कषाय-हास्यादि-विसयविवशमनाः । बध्नाति नरकायुर्महा-रम्भ-परिग्रहरतो रौद्रः) શબ્દાર્થ :- વિદ્યપિ = બન્ને પ્રકારના પણ, વરમોઢું = ચારિત્રમોહનીય કર્મને, સાય-હાસારું = કષાય અને હાસ્યાદિને, વિવસમનો = પરવશ મનવાળો જીવ, વંધ = બાંધે છે, નરથાણું = નરકનું આયુષ્ય, મહારશ્નપરિષદરો = મોટા આરંભ અને પરિગ્રહમાં રક્ત બનેલો, રુદ્દો = ભયંકર રૌદ્ર પરિણામવાળો જીવ. ગાથાર્થ - કષાય અને હાસ્યાદિને પરવશ થયેલું છે મન જેનું એવો આત્મા બન્ને પ્રકારનું ચારિત્ર મોહનીયકર્મ બાંધે છે તથા મહારંભઅને પરિગ્રહમાં રક્ત અને રૌદ્ર પરિણામવાળો જીવ નરકનું આયુષ્ય બાંધે છે. પ૭. વિવેચન - અનંતાનુબંધી-અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનાવરણ, અને સંજવલન-ક્રોધ-માન-માયા-અને લોભ એમ ૧૬ પ્રકારના જે કષાયો તે કષાયચારિત્ર મોહનીય. અને હાસ્ય-રતિ-અરતિ-શોક-ભય- જુગુપ્સા-ત્રણ વેદ એ નોષાયચારિત્રમોહનીય. એમ ચારિત્ર મોહનીયકર્મ બે પ્રકારે છે. ક્રોધાદિ કષાયોને પરવશ થયેલો આત્મા કષાયમોહનીય હાસ્યાદિ નોકષાયોને પરવશ થયેલો આત્મા હાસ્યાદિ ષક, અને 'પાંચ ઈન્દ્રિયોના વિષયોને પરવશ થયેલો વેદત્રિક બાંધે છે, એટલે કષાયોની, હાસ્યાદિની અને પાંચ ઇન્દ્રિયોના વિષયસુખોની પરાધીનતા એ જ કષાયનોકષાય-અને વેદત્રિકના બંધહેતુ છે. - હવે નરકાયુષ્યના બંધહેતુ જણાવે છે-મહા-આરંભ-સમારંભમાં આસક્ત, કતલખાનાં, અથવા ઘણી હિંસાવાળાં મોટાં કારખાનાં કરનાર, ધન-ધાન્યાદિ નવ પ્રકારના પરિગ્રહમાં અતિશય આસક્ત, ઘણી જ મમતામૂર્છાવાળો, રૌદ્ર પરિણામી, એટલે ભયંકર કષાયોના આવેશવાળો, પંચેન્દ્રિયાદિ જીવોના વધ કરવાના પરિણામમાં જ રક્ત એવો આત્મા આ નરકનું આયુષ્યકર્મ બાંધે છે. પ૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy