SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧૮૭ (૨) સન્માર્ગવિનાશ = સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-અને સમ્યગ્યારિત્ર એ રત્નત્રયી સાચો મુક્તિનો માર્ગ છે તેનો વિનાશ કરવાથી, તેનાં સાધનો, તથા તે ગુણોવાળા ગુણીઓનો વિનાશ કરવાથી, સાચા માર્ગે ચાલતાને આડું-અવળું સમજાવી પતિત કરવાથી. (૩) દેવદ્રવ્યહરણ = પ્રભુ પ્રત્યેની ભક્તિથી સમર્પિત કરેલું જે દ્રવ્ય તે દેવદ્રવ્ય, આ દ્રવ્ય પરમાત્માની મૂર્તિ, તથા મંદિરના સંરક્ષણ માટે રખાય છે. તેનું ભક્ષણ કરવાથી, તેનું બીજો કોઈ ભક્ષણ કરતો હોય તે જાણવા છતાં અને રોકવાની શક્તિ હોવા છતાં તેની ઉપેક્ષા કરવાથી, તેના દ્વારા આડી-અવળી રીતે સ્વાર્થ સાધવાથી, તે દેવદ્રવ્યનું નાણું બેંકમાં જમા કરાવી તેની સામે પોતાના ધંધા માટે લોન લેવાથી, ઈત્યાદિ રીતે પરંપરાએ પણ તેનો ઉપયોગ કરવાથી. (૪) જિન-મુનિ-ચૈત્ય-સંઘાદિ પ્રત્યેનીક = શ્રી વીતરાગ પરમાત્મા, પંચમહાવ્રતધારી મુનિ મહારાજા, જિનેશ્વર પરમાત્માની મૂર્તિ તથા તેની રક્ષા માટેનું મંદિર, અને શ્રી ચતુર્વિધ સંઘ, આ સર્વે સંસારથી તરવાનાં સાધનો છે. અનેક જીવોને તારે છે. તેવા પરમ ઉપકારી તત્ત્વોની નિંદા કરવાથી, વિરોધ કરવાથી, તેઓના દુશ્મન થવાથી, તેઓને ન રુચે તેવું આચરણ કરવાથી આ જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. (૫) આદિ = ગાથામાં લખેલા આદિ શબ્દથી બીજા પણ આવા પ્રકારના બંધ હેતુ સમજી લેવા-જેમ કે સિદ્ધ પરમાત્મા, શ્રુતજ્ઞાન, વડીલો, ગુરુજનો, તીર્થસ્થાનો, આદિ પવિત્ર તત્ત્વોની નિંદા-ટીકા-વિરોધ અને વિનાશ કરવાથી પણ જીવ આ કર્મ બાંધે છે. પ. હવે ચારિત્રમોહનીય કર્મના બંધહેતુઓ જણાવે છે "दुविहंपि चरणमोहं, कसाय-हासाइ-विसयविवसमणो । बंधइ नरयाउं महा-रम्भपरिग्गहरओ रुद्दो ॥५७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy