SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ પ્રથમ કર્મગ્રંથ હવે દર્શનમોહનીય કર્મના બંધહેતુઓ કહે છે ૩મ-સT-મન-ના-વધ્યદહિં હંસાનોના-મુછા-વૈદ્ય-સંથાપિડિoો / વદ્દો (उन्मार्गदेशना-मार्गनाशना-देवद्रव्यहरणैः । दर्शनमोहं जिन-मुनि-चैत्य-संघादि प्रत्यनीकः ) શબ્દાર્થ :- ૩Hવેલા = ઉન્માર્ગની દેશના કરવી, માનાસા = સન્માર્ગનો નાશ કરવો, વ્યહિં = દેવદ્રવ્યનું હરણ કરવું, દંતાનોરું = દર્શનમોહનીય કર્મ બાંધે છે, નળ-મુળ = જિનેશ્વર પ્રભુ અને મુનિ મહાત્મા, વેઝ = ચૈત્ય અને, સંધારું = ચતુર્વિધ શ્રી સંઘ આદિનો, પરિણામો = પ્રત્યનીક-શત્રુ. ગાથાર્થ - ઉન્માર્ગની દેશના આપવાથી, સન્માર્ગનો નાશ કરવાથી અને દેવદ્રવ્યનું હરણ કરવાથી, જીવ દર્શનમોહનીય કર્મ બાંધે છે. તથા જિનેશ્વર પરમાત્મા, મુનિ મહાત્મા, જિનપ્રતિમા તથા ચતુર્વિધ શ્રી સંઘનો વિરોધી જીવ પણ દર્શનમોહનીય કર્મ બાંધે છે. ૫૬. વિવેચન - અનંત સંસારમાં ભટકાવનારૂં જે કર્મ, સર્વ કર્મો કરતાં વધુ ભયંકર જે કર્મ, તે દર્શનમોહનીય કર્મ અર્થાત્ મિથ્યાત્વ મોહનીય કર્મ. (કારણ કે સમ્યકત્વમોહનીય અને મિશ્ર મોહનીયનો તો બંધ થતો જ નથી. તેથી અહીં દર્શનમોહનીય શબ્દથી મિથ્યાત્વ મોહનીય કર્મ જાણવું.) તેના બંધ હેતુઓ આ પ્રમાણે છે(૧) ઉન્માર્ગદેશના = ઉન્માર્ગની (ઉલટા માર્ગની) દેશના કરવાથી, સંસારના ભોગો, વિષય-કષાયોની વાસના વિગેરે જે સંસારનાં કારણો છે. તેને મોક્ષનાં કારણો સમજાવવાથી, જે હેય છે તેને ઉપાદેય ગણાવવાથી, જે ઉપાદેય છે તેને હેય ગણાવવાથી, કુદેવ, કુગુરુ અને કુધર્મની ઉપાસનાથી મોક્ષપ્રાપ્તિ થાય છે તેમ સમજાવવાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy