SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧૮૩ ભણાવતી વખતે હું બધું ભણાવીશ તો મારું માન ઘટી જશે અને આ ભણનારનું માન વધી જશે એવા આશયથી ભણાવતી વખતે ભણેલું છુપાવી રાખવાથી, (૩) તે ત્રણેયનો નાશ કરવાથી, હત્યા કરવાથી, માર મારવાથી, શસ્ત્ર મારવાથી, (૪) તેમના પ્રત્યે દ્વેષ કરવાથી, અપ્રીતિ કરવાથી, નાખુશી ભાવ રાખવાથી, મનમાં અસદ્ભાવ રાખવાથી, (૫) તેઓને અંતરાય કરવાથી, ભણનારને ભણવાનું કામ કરવામાં અને ભણાવનારને ભણાવવાનું કામ કરવામાં વિક્ષેપો-વિઘ્નો ઉભાં કરવાથી, ઘોંઘાટ ક૨વાથી, કાંકરીચાળો કરવાથી, (૬) અતિશય આશાતના કરવાથી, નિંદા-ટીકા, કુથલી કરવાથી, અવર્ણવાદ બોલવાથી, એમ આ છ કારણોથી જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. મિથ્યાત્વાદિ સામાન્ય ચાર બંધ હેતુઓ વડે બંધાતું જ્ઞાનાવરણીય કર્મ ઉપરોક્ત વિશેષ બંધ હેતુઓ વડે દીર્ઘસ્થિતિવાળું અને તીવ્ર ચીકણા રસવાળું બંધાય છે. આ જ પ્રમાણે વસ્તુના સામાન્ય ધર્મને જાણવું તે દર્શન, દર્શન ગુણવાળા દર્શની, અને દર્શનનાં (સામાન્ય બોધનાં) સાધનોની પ્રત્યેનીકતા આદિ છ કારણના સેવવાથી આ જીવ દર્શનાવરણીય કર્મ બાંધે છે. વિશેષ બોધ તે જ્ઞાન અને સામાન્ય બોધ તે દર્શન. એમ બન્નેના ગુણી અને ગુણનાં સાધનો સમાન છે. આ પ્રમાણે આ ગાથામાં જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના બંધહેતુઓ કહ્યા. ૫૪. હવે ત્રીજા વેદનીયકર્મમાં પ્રથમ સાતાવેદનીયના બંધહેતુ જણાવે છેગુરુમત્તિ-પ્રતિ-જળ, વય-નો-સાય-વિનય-તાળ-જીઓ ર્ધમ્મારૂં-અનફ, સાયમસાયં વિવપ્નયઓ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy