SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક (सुस्वराद् मधुरसुखध्वनिरादेयात्सर्वलोकग्राह्यवचाः । यशसो यशः कीर्तयः, स्थावरदशकं विपर्ययार्थम् ) શબ્દાર્થ :- સુખરા સુસ્વર નામકર્મના ઉદયથી, મઘુર = મધુરમીઠી, સુન્ન = સુખકારી, ન્રુળી - ધ્વનિ, આર્ના આઠેય નામકર્મના ઉદયથી, સબતોઞ = સર્વ લોકોને, શિાવો = ગ્રાહ્યવચનવાળો, નસો યશનામકર્મના ઉદયથી, નક્ષત્તિીઓ યશ અને કીર્તિ, થાવરસ = = સ્થાવરદશક, વિવપ્નત્યં = વિપરીત અર્થવાળું છે. ગાથાર્થ સુસ્વર નામકર્મના ઉદયથી મીઠી અને સુખકારી વાણી પ્રાપ્ત થાય છે. આદેય નામકર્મના ઉદયથી સર્વલોકોને ગ્રાહ્ય વચનવાળો બને છે. યશનામકર્મના ઉદયથી યશ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. સ્થાવરદશક આ ત્રસદશકના અર્થથી વિપરીત અર્થવાળું જાણવું. ૫૧. વિવેચન જે કર્મના ઉદયથી કંઠ કોયલ જેવો મધુર અને બીજાને સાંભળતાં જ સુખ-આનંદ-અને હર્ષ ઉત્પન્ન થાય એવો સુંદર મળે તે સુસ્વરનામકર્મ. ૧૭૩ = જે કર્મના ઉદયથી જીવનું વચન સર્વ લોકો માન્ય કરે, બોલતાંની સાથે જ વચન ઝીલી લે. લોકો કહ્યાગરા બની જાય, જીવનું વચન લોકોને પ્રીતિ ઉપજાવનારૂં બને, બોલના વક્તાના વચનથી આકર્ષાઇને લોકો સત્કાર-સન્માન-અને વિનય કરે તે આદેય નામકર્મ. જે કર્મના ઉદયથી જીવની ચારે દિશામાં ખ્યાતિ વધે, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય, દાન દ્વારા, તપાદિ ગુણ દ્વારા, અથવા શૂરવીરતા દ્વારા પ્રશંસા થાય, યશ અને કીર્તિ ચોતરફ ફેલાય. તે યશઃકીર્તિ નામકર્મ. પ્રશ્ન :- યશ એટલે પ્રશંસા, અને કીર્તિ એટલે પ્રશંસા, આ બન્નેમાં તફાવત શું ? શા માટે યશઃકીર્તિ એમ બે નામેા ભિન્ન બાલાય છે? Jain Education International ઉત્તર ઃ- સામાન્યથી બન્નેને અર્થ પ્રશંસા-ખ્યાતિ છે. તે પણ વિશેષથી વિચારીએ તા બન્નેમાં નીચે મુજબ તફાવત છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy