________________
કર્મવિપાક
૧૬૯
પ્રારંભ- છ એ પર્યાપ્તિઓનો પ્રારંભ સાથે કરે છે પરંતુ પૂર્ણાહૂતિ ક્રમશ થાય છે. કારણ કે પછી-પછીની પર્યામિ પૂર્વ-પૂર્વની પર્યાપ્તિ કરતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર છે. શાસ્ત્રમાં છ રૂ કાંતનારી સ્ત્રીઓનું દષ્ટાન્ત આવે છે. છ એ સ્ત્રીઓ ભલે સાથે રૂ કાંતવાનું કામ ચાલુ કરે તથાપિ જાડું કાંતનારીને વહેલું પૂર્ણ થાય છે અને સૂક્ષ્મ-સૂક્ષ્મતર કાંતનારીને વાર લાગે છે.
આ છ પર્યાતિઓમાંથી કોઈ જીવ ત્રણ પૂર્ણ કરીને, કોઈ ચાર પૂર્ણ કરીને, કોઈ પાંચ પૂર્ણ કરીને અને કોઈ છ પૂર્ણ કરીને મૃત્યુ પામે છે. તે સમજાવવા આ પર્યાપ્તાના બે ભેદ કહે છે. લબ્ધિપર્યાપ્તા અને કરણપર્યાપ્તા.
જે જીવોને પોત-પોતાની પર્યામિઓ પૂર્ણ કરવાની લબ્ધિ અર્થાત્ શક્તિ વર્તે છે. પોતાની યથાયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા પછી જ મૃત્યુ થાય એવી જેની પાસે લબ્ધિ-શક્તિ છે, તે લબ્ધિ પર્યાપ્તા કહેવાય છે. કોઈ જીવ એક ભવમાંથી મૃત્યુ પામી બીજા ભવમાં જ્યારે જતો હોય ત્યારે વિગ્રહગતિમાં પણ જો ત્યાં જઈ પોતાની પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા પછી મૃત્યુ પામવાનો હોય તો પર્યાપ્તિઓ પૂર્ણ કરવાની લબ્ધિવાળો હોવાથી પર્યાપ્તો જ કહેવાય છે. તેવી જ રીતે આહાર-શરીર-ઇન્દ્રિય પર્યાપ્તિ કરતો હોય ત્યારે પણ પૂર્ણ કર્યા પછી મરવાનો હોય તો લબ્ધિથી પર્યાપ્ત જ કહેવાય છે અને જે જીવ પોતાના ભવને યોગ્ય પર્યાદ્ધિઓ પૂર્ણ કર્યા વિના જ અધવચ્ચે જ મૃત્યુ પામવાનો હોય તો તે જીવ લબ્ધિથી અપર્યાપ્ત જ કહેવાય છે. લબ્ધિપર્યાપ્ત જીવ સદા તે ભવમાં લબ્ધિપર્યાપ્ત જ રહે છે અને લબ્ધિ અપર્યાપ્ત જીવ સદા તે ભવમાં લબ્ધિઅપર્યાપ્ત જ રહે છે. એક ભવમાં એક જ અવસ્થા આવે છે. બને અવસ્થા આવતી નથી. લબ્ધિઅપર્યાપ્તને અપર્યાપ્ત નામકર્મનો ઉદય હોય છે અને લબ્ધિપર્યાપ્તને પર્યાતનામકર્મનો જ ઉદય છે. પર્યાપ્ત-અપર્યાપ્ત નામકર્મનો ઉદય લબ્ધિને આશ્રયી હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org