SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧૬૩ જે કર્મના ઉદયથી પ્રાણી પોતાના જ શરીરના બેડોળ, વિકૃત, અથવા હીન કે અધિક અવયવો વડે પોતે દુઃખી થાય, સંસારમાં પરાભવ પામે, દોષિત શરીરવાળો ગણાય તે ઉપઘાત નામકર્મ. જેમ કે શરીરમાં રસોળી હોય, પડજીભી હોય, ચોરદાંત હોય, હરસ-મસા-તલ-ખુંધ, છ આંગળીયો, માથે ટાલ, ગાલે મોટું લાલ ચાઠું, ગળે આંચળ, વિગેરે ભાગોથી શરીર દોષિત હોય તે સર્વ ઉપઘાતનામકર્મથી સમજવું. ગળે ફાંસો ખાવો, પર્વત ઉપરથી પડતું મુકવું, નદી કે સમુદ્રમાં ઝંપાપાત કરવો, અગ્નિમાં બળી મરવું, ટ્રેન નીચે આપઘાત કરવો, ઈત્યાદિમાં શરીર જ દુઃખનું કારણ હોવાથી ઉપઘાત નામકર્મનો ઉદય સમજવો. પ્રશ્ન :- માથે ટાલ હોય, ડબલ દાંત હોય, છ આંગળીઓ હોય, ઇત્યાદિ ભાવવાળો જીવ તો પૈસાદાર-ધનવાન-ભાગ્યશાલી કહેવાય છે. તેને ઉપઘાત નામકર્મનો ઉદય કેમ કહો છો ? ઉપઘાત નામકર્મ તો અશુભ છે. ઉત્તર :-જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ભલે કદાચ તે ભાવિમાં થનારી ધનપ્રાપ્તિનાં સૂચક ચિહ્નો હોય, અને તેના કારણે તે જીવોને ધનવાન કે ભાગ્યશાલી ભલે ગણાતા હોય, તથાપિ શરીરની સુંદર રચનામાં તો તે ખામી ગણાય, દૂષિતતા ગણાય, શરીર દોષવાળું ગણાય, માટે ઉપઘાતનો ઉદય ગણાય છે. અને તે શરીરની વિકૃતિ હોવાથી અશુભમાં જ આવે છે. આ પ્રમાણે પરાઘાત આદિ ૮ પ્રત્યેક પ્રકૃતિઓ સમજાવી. ૪૮. હવે ત્રસદશકના અર્થ સમજાવે છેવિ-તિ-વ-પforતિસા, વાયરો વાયર ગયા શૂના , निय-निय-पज्जत्तिजुआ, पज्जत्ता लद्धिकरणेहिं ॥४९ ॥ (દ્ધિ-ત્રિ-વતુ:-પગ્નેન્દ્રિયાત્રાદ્ વાતો વાતાઃ નવા શૂરા. निज-निज-पर्याप्ति-युताः पर्याप्ताद् लब्धिकरणाभ्याम् ) શબ્દાર્થ - વિ = બેઈન્દ્રિય, તિ= તે ઇન્દ્રિય, વ = ચઉરિન્દ્રિય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy