SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ પ્રથમ કર્મગ્રંથ અર્ધનારા, (૫) કીલિકા, (૬) સેવાર્ત, અહીં ઋષભ એટલે પાટો, વજ એટલે કાલિકા = ખીલી, અને બન્ને બાજુનો જે મર્કટબંધ તેને નારાચ કહેવાય છે. આ છ સંઘયણો ઔદારિક શરીરમાં હોય છે. ૩૮-૩૯. વિવેચન = શરીરની મજબૂતાઈ અસ્થિની રચનાની મજબૂતાઈ ઉપર આધાર રાખે છે. જેટલી અસ્થિની રચના મજબૂત, તેટલી શરીરની મજબૂતાઈ જાણવી. આ કારણથી અસ્થિની રચના જાણવી જરૂરી છે. અસ્થિની રચના માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે. તેથી આ ગાથામાં કહેલાં છ એ સંઘયણ માત્ર ઔદારિક શરીરમાં જ હોય છે. વૈક્રિય આહારક શરીર અસ્થિની રચના વિનાનું જ હોય છે. તેથી તે બે શરીરોમાં સંઘયણ હોતાં નથી. જો કે આગમમાં દેવોને વજઋષભનારાચ સંઘયણવાળા કહ્યા છે પરંતુ તે માત્ર શક્તિની અપેક્ષાએ જ જાણવું. વાસ્તવિક દેવોને સંઘયણ હોતું નથી. ફક્ત વજઋષભનારા સંઘયણવાળા મનુષ્ય-તિર્યંચની જેમ દેવોનું શરીર અત્યંત મજબૂત હોય છે. મનુષ્ય-તિર્યંચોને છ એ સંઘયણ હોય છે. વિશ્લેન્દ્રિયોને છેવટું સંઘયણ હોય છે અને દેવ-નારકી – એકેન્દ્રિય જીવો સંઘયણ વિનાના છે. હવે સંઘયણો સમજવા માટે તેમાં આવેલા પારિભાષિક શબ્દોના પ્રથમ અર્થો સમજીએ. વજ એટલે ખીલાના આકારનું હાડકું, ઋષભ એટલે પાટાના આકારનું હાડકું, અને નારાચ એટલે મર્કટબંધ-જેમાં બે હાડકાં સામ-સામાં એક-બીજા હાડકાને વીંટળાઈને રહેલો હોય તે, જેમ માંકડાનું બચ્યું તેની માતાના પેટે જે રીતે વળગેલું હોય છે તે એવું મજબૂત વળગેલું હોય છે કે તેની માતા છલાંગ મારે ત્યારે બચ્ચે ઉલટું થઈ જાય છે. છતાં પડતું નથી. તેમ મજબૂત બે હાડકાંની આરપાર નીકળવાવાળી રચના વિશેષ તે મર્કટબંધ કહેવાય છે. તેને જ નારા કહેવાય છે. (૧) જ્યાં બે હાડકાં મર્કટબંધની જેમ પરસ્પર એકબીજાને વીંટળાયેલાં હોય, તથા તે બન્ને હાડકાં ઉપર પાટાના આકારે હાડકું વીંટળાયેલું હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy