SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રથમ કર્મગ્રંથ ઉત્તરવૈક્રિયશરીર કહેવાય છે. આ પ્રમાણે દેવ-નારકીના આ શરીરનાં ભવપ્રત્યયિક, ઔપપાતિક અથવા ઉત્તરવૈક્રિય આદિ વિવિધ નામો છે. મનુષ્ય-તિર્યંચોને તપ-ચારિત્ર-તથા જ્ઞાન-ધ્યાન આદિ ગુણોના પ્રતાપે આ વૈક્રિય શરીરની પ્રાપ્તિ થાય છે માટે તે લબ્ધિપ્રત્યયિક કહેવાય છે. વાયુકાયામાં પણ વૈક્રિય શરીર બનાવવાની શક્તિ છે. પરંતુ સર્વ વાયુકામાં આ શક્તિ હોતી નથી. માત્ર કેટલાક બાદર-પર્યાપ્ત વાયુકામાં જ હોય છે. અને તે પણ વૈક્રિયસતકની ઉવલના ન થઈ હોય ત્યાં સુધી જ હોય છે. તેથી ભવપ્રત્યયિક ગણાતું નથી. આવા પ્રકારના વૈક્રિય શરીરને અપાવનારૂં જે કર્મ તે વૈક્રિય શરીરનામકર્મ. (૩) તીર્થંકર પરમાત્માનાં દર્શન કરવા માટે, અથવા આગમોના અર્થમાં થયેલા સંશયને દૂર કરવા માટે, ચૌદ પૂર્વધર મુનિ મહાત્માઓ આહારક શરીરને યોગ્ય એવી આહારકવર્ગણાનાં પુદગલો ગ્રહણ કરી તે પુગલોનું એક હાથ પ્રમાણ અવગાહનાવાળું જે શરીર બનાવે તે આહારકશરીર, આ શરીર સ્ફટિકની જેમ અતિશય સ્વચ્છ અને નિર્મળ હોય છે. મહાવિદેહ ક્ષેત્ર સુધી જતાં-અને આવતાં પોતે કોઈનાથી વ્યાઘાત પામતું નથી અને પોતાનાથી બીજા કોઈને વ્યાઘાત થતો નથી. એક હાથ જેટલી અવગાહનાવાળું હોવાથી દશ્ય છે. લોકો જોઈ પણ શકે છે. છતાં અતિશય વેગવાળી ગતિ હોવાથી અદશ્ય પણ કહેવાય છે. મહાવિદેહ ક્ષેત્ર સુધી ગમનાગમન કરે છે છતાં કાળ માત્ર અન્તર્મુહૂર્ત જ થાય છે. આવા પ્રકારના નિર્મળ શરીરને અપાવનારૂં જે કર્મ તે આહારકશરીરનામકર્મ. (૪) જે કર્મના ઉદયથી જીવને તૈજસ શરીરની પ્રાપ્તિ થાય તે તેજસ શરીરનામકર્મ. જીવે કરેલા આહારાદિના પાચનનું જે કારણ તે તૈજસશરીર. આ પાચનક્રિયા કરાવનારૂં તેજસ શરીર સર્વજીવોને હોય છે. પરંતુ તપઆદિ વિશિષ્ટ ગુણોને લીધે તૈજસ લબ્ધિ જે પ્રગટ થાય છે. તે લબ્ધિપ્રત્યયિક તૈજસ શરીર કોઇક આત્માઓને જ હોય છે. તે લબ્ધિના પ્રતાપે અપકાર કરવાની બુદ્ધિથી શ્રાપરૂપે અને ઉપકાર કરવાની બુદ્ધિથી ઠારવા રૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy