SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૧ ૨૫ મોહનીયકર્મના ભેદો જો કે ૨૮ છે. પરંતુ બંધમાં ૨૬ જ ગણાય છે. કારણ કે સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયનો બંધ થતો નથી. ફક્ત મિથ્યાત્વ મોહનીય કર્મ જ બંધાય છે. આત્મા જ્યારે સમ્યકત્વ પામે છે ત્યારે પૂર્વે બંધાયેલું મિથ્યાત્વ મોહનીયકર્મ જ રસઘાત થવાથી શુદ્ધ અને અર્ધશુદ્ધ રૂપ બને છે. તેને જ સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીયકર્મ કહેવાય છે. તે કારણથી બંધમાં મોહનીયકર્મની ર૬ જ ગણાય છે અને ઉદય-ઉદીરણા-સત્તામાં મોહનીયની ૨૮ ગણાય છે. વાસ્તવિક વિચાર કરીએ તો સમ્યકત્વમોહનીય અને મિશ્રમોહનીય પણ બંધાયા વિના અદ્ધરથી આકાશમાંથી કંઈ ટપકી પડી નથી. બંધાવાથી જ આવી છે. પરંતુ સમ્યકત્વમોહનીયસ્વરૂપે અને મિશ્રમોહનીયસ્વરૂપે બંધાઈ નથી. મિથ્યાત્વમોહનીય રૂપે બંધાયા પછી આત્મવિશુદ્ધિના લીધે શુદ્ધરૂપે બની છે. માટે પોતાના રૂપે બંધાતી નથી. એટલે બંધમાં ગણાતી નથી. આ પ્રમાણે નામકર્મ અને મોહનીયકર્મ, આ બે કર્મમાં બંધ-ઉદયઉદીરણા અને સત્તામાં જુદી જુદી સંખ્યા થવાથી આઠે કર્મની સાથે બંધઉદય-ઉદીરણા-સત્તામાં ગણીએ ત્યારે સંખ્યા પણ જુદી જુદી થાય છે. તેનું ચિત્ર આ પ્રમાણે છે – જ્ઞાના. દર્શ. વેદ. મોહ. આયુ નામ ગોત્ર અંત. કુલ બંધ | ૨ | ૨૬ | ૪ ૬૭ | ૨ | પ | ૧૨૦ ઉદય ૫ | ૯ ૨૮ | ૪ |૬૭ | ૨ | ૫ | ૧૨૨ ઉદી. ૨ | ૯ | ૯ | ૨ | ૨૮ | ૧૨૨ સત્તા ૫ | ૧૪૮ ૧૫૮ / 'હા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy