SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પ્રથમ કર્મગ્રંથ બંધન તથા સંઘાતનનું ગ્રહણ શરીરમાં લઈએ અને વર્ણ ચતુષ્ક સામાન્યથી લઈએ તો ૬૭ ભેદ થાય છે. ૩૧. વિવેચન - પરાઘાત આદિ ૨૫મી ગાથામાં કહેલી ૮, ત્રસ આદિ ૨૬મી ગાથામાં કહેલી ૧૦, અને સ્થાવર આદિ ૨૭મી ગાથામાં કહેલી ૧૦, એમ ૨૮ પ્રકૃતિઓ પિંડ કૃતિઓના પેટાભેદ જે ૬૫ છે. તેમાં ઉમેરવાથી ૬૫+૨૮=મળીને નામકર્મની ૯૩ પ્રકૃતિઓ થાય છે. અથવા પાંચ બંધનને બદલે કેટલાક આચાર્ય મહારાજાઓની વિવક્ષાભેદની દૃષ્ટિએ પંદર બંધન પણ ગણાય છે. જો બંધન આ રીતે પાંચને બદલે પંદર લઈએ તો ૧૪ પિંડપ્રકૃતિના જ જે ઉપર ૬૫ ભેદો ગણાવ્યા તે ૭૫ થાય છે અને તેમાં પરાઘાત આદિ ૮+૧૦+૧૦=૨૮ ઉમેરતાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ થાય છે. બીજા કર્મગ્રંથમાં આ આઠે કર્મો ચૌદ ગુણસ્થાનકોમાંથી કયાં કયાં કર્મો કયા ગુણસ્થાનક સુધી બંધાય છે. ઉદયમાં આવે છે અને સત્તામાં (સ્ટોકમાં રહે છે. તે વાત એકેક ઉત્તરભેદવાર સમજાવાશે, ત્યાં સત્તામાં નામકર્મની આ ગણાવેલી ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિઓ લેવામાં આવશે. અને હવે ચોથો ૬૭નો નામકર્મનો આંક સમજાવાય છે તે માત્ર બંધ-ઉદય અને ઉદીરણામાં લેવામાં આવે છે. ૬૭નો આંક આ પ્રમાણે ગણાય છે -૧૪ પિંડપ્રકૃતિઓના જે પાંસઠ પેટા ભેદો ગાથા ૩૦માં જણાવ્યા છે. તેમાં પાંચ બંધન અને પાંચ સંઘાતન શરીરની અંદર જ ગણવાં, કારણ કે જ્યારે જ્યારે જે જે શરીર બંધાય છે કે ઉદય-ઉદીરણામાં આવે છે કે સત્તામાં હોય છે ત્યારે ત્યારે તે તે બંધનનામકર્મ અને સંઘાતનનામકર્મ અવશ્ય બંધ-ઉદય-ઉદીરણા અને સત્તામાં આવે જ છે. માટે જુદું ગણવાનું કંઈ ખાસ વિશિષ્ટ પ્રયોજન નથી. તેથી આ ૧૦ ઓછી થાય છે. તથા વર્ણના ૫, ગંધના ૨, રસના ૫, અને સ્પર્શના ૮, એમ કુલ ૨૦ ઉત્તરભેદો જે કહ્યા છે. તેને બદલે માત્ર વર્ણગંધ-રસ- અને સ્પર્શ એમ ચારે મૂળભેદ રૂપે એક એક ગણવા. તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy