SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ પ્રથમ કર્મગ્રંથ આ ૨૫મી ગાથામાં કહે છે. પ્રથમની ૧૦ ૨૬મી ગાથામાં કહેવાશે, અને પછીની દશ ૨૭મી ગાથામાં કહેવાશે. તે દસ-દસ સામ-સામી=પ્રતિપક્ષી છે. પરસ્પર વિરોધી છે. પ્રથમની ૧૦ શુભ છે. પાછળની ૧૦ અશુભ છે. સ્વતંત્ર એવી આ આઠ પ્રકૃતિઓના અર્થ જો કે ગાથા ૪૩ થી ૪૭માં આગળ કહેવાશે જ, તો પણ બાળજીવોના પ્રવેશ માટે અલ્પ અર્થ અહીં અપાય છે. વિશેષ અર્થ આગળ ત્યાં આવશે. (૧) પરાઘાતનામકર્મ = જે કર્મના ઉદયથી સામેના બળવાન માણસો પણ દબાઈ જાય, વિરોધી પણ વિરોધ ન કરી શકે તે. (૨) ઉચ્છવાસનામકર્મ = નાકથી કે શેષ અંગોથી સુખે સુખે શ્વાસ લઈ શકાય તે, શ્વાસની તકલીફ ન હોવી. (૩) આતપનામકર્મ = જે સૂર્યના વિમાનમાં પૃથ્વીકાય રત્નો છે. તેને આ કર્મનો ઉદય છે. પોતે અનુષ્ણ હોવા છતાં પોતાનો પ્રકાશ જગતને ઉષ્ણ આપે છે. સૂર્યકાન્ત મણિ વગેરેને પણ આ કર્મ હોય છે. (૪) ઉદ્યોતનામકર્મ = જે પોતે શીતળ હોતે છતે પોતાનો પ્રકાશ જગતને પણ શીતળ આપે છે. આ કર્મનો ઉદય ચંદ્રાદિશેષ જ્યોતિષમાં રહેલા પૃથ્વીકાય આદિ રત્નગત જીવો વગેરેને હોય છે. (૫) અગુરુલઘુનામકર્મ = જે કર્મના ઉદયથી જીવને પોતાનું શરીર - પોતાને ભારે પણ ન લાગે અને હલકું પણ ન લાગે તે. (૬) તીર્થકર નામકર્મ = જે કર્મના ઉદયથી જીવ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી શકે, ત્રણે જગતને પૂજનીક બને છે. (૭) નિર્માણનામકર્મ = અંગ-ઉપાંગોની યથાસ્થાને રચના કરે તે. (૮) ઉપઘાતનામકર્મ = પોતાના શરીરના અંગોથી પોતે જ દુઃખી થાય તેવી વિચિત્ર અંગરચના, રસોળી ખુંધ વિગેરે જે કર્મના ઉદયથી થાય તે. આ જ આઠે પ્રકૃતિઓના વિશેષ અર્થ આગળ આવશે. ૨૫. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy