SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ? કર્મવિપાક સુરાયુષ્ય, દેવાવસ્થામાં પ્રાયઃ શારીરિક અને માનસિક સુખ છે કારણ દેવવૈભવ ઘણો છે. પરંતુ પરિગ્રહસંજ્ઞા અને લોભસંજ્ઞા દેવભવમાં વધારે હોવાથી ઈર્ષ્યા-પરસ્ત્રી અને પરધનનું અપહરણ, લડાઈ, સ્પર્ધા, ઈન્દ્રની આજ્ઞાની પરવશતા આદિ દુઃખો પણ છે. છતાં બાહ્યસંપત્તિની અપેક્ષાએ દેવભવમાં સુખ કહેવાય છે. અને નરક ભવમાં વધારે દુ:ખ છે. તીવ્ર પુણ્ય અને તીવ્ર પાપના ફળને ભોગવવાનું સ્થાન તે જ દેવ અને નરક છે. નાકી નીચે છે અને દેવોનાં સ્થાનો કેટલાંક નીચે અને કેટલાંક ઉપર છે. નરાયુ એટલે મનુષ્યનું આયુષ્ય. જે વસ્તુસ્થિતિને યથાર્થ સમજી શકે તે નર, તે ભવમાં જીવાડનારૂં જે કર્મ તે નરાયુષ્ય. તિર્યંચાયુ = તિર્છા ચાલે તે તિર્યંચ. અહીં તિર્ધ્યાનો અર્થ વાંકા ચાલે એવો ન કરવો, પરંતુ તિÁ એટલે વિવેક વિનાના, ગમે ત્યાં મળમૂત્ર કરે, ગમે ત્યાં મોઢું નાખે, ગમે તેવી ભૂમિ ઉપર આળોટે ઈત્યાદિ. વિવેકરહિત પ્રકૃતિવાળા તે તિર્યંચો કહેવાય છે. પશુ-પક્ષી જળચ૨ આદિ જીવો તથા ચઉરિન્દ્રિય સુધીના જીવો પણ આમાં ગણાય છે. નરકાયુ જે અતિશય પાપ કરનારા નર મનુષ્યોને તથા તિર્યંચોને દુ:ખ ભોગવવા માટે જાણે બોલાવતા હોય તે નરક. આ અતિશય દુઃખનું ક્ષેત્ર છે. ૧૦૭ * Jain Education International = પ્રશ્ન - મનુષ્ય-તિર્યંચો પ્રત્યક્ષ દેખાય છે એટલે છે એમ સમજાય છે. પરંતુ દેવ-નારકી દેખાતા નથી તો હશે એમ કેમ મનાય ? ઉત્તર મનુષ્ય-તિર્યંચના ભવમાં પુણ્ય અને પાપના ફળની માત્રા પરિમિત છે. કોઈ મનુષ્ય ગમે તેટલાં ખૂન કરે પરંતુ તેને ફાંસીથી આગળ સજા આ ભવમાં શક્ય નથી, માટે વધારે પાપ કરનારને વધારે ફળ ભોગવવા માટેનું કોઈ સ્થાન હોવું જોઈએ, તે જ નારક. તેવી જ રીતે ગમે તેવો ઉપકાર કરનારને રાજ્ય પ્રાપ્તિથી વધારે માનવભવમાં સુખ નથી. માટે વધુ સુખ ભોગવવાનું જે સ્થાન તે સ્વર્ગ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy