SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રથમ કર્મગ્રંથ ભોગની અભિલાષા પુરુષની જેમ જલ્દી થતી નથી. પરંતુ મોડી થાય છે. પુરુષના શરીરનો સ્પર્શ થવાથી તે અભિલાષા એકદમ વધે છે. જલદી તૃપ્ત થતી નથી. જે કર્મના ઉદયથી સ્ત્રી પ્રત્યે ભોગની અભિલાષા થાય તે પુરુષવેદ કહેવાય છે. તે વેદ તૃણના અગ્નિતુલ્ય છે. જેમ તૃણ જલદી સળગે છે અને જલદી બુઝાય છે. તેમ પુરુષનો જીવ સ્ત્રીના શરીરને જોતાં જ, અથવા સ્પર્શ કરતાં જ ભોગની અભિલાષાવાળો બને છે. અને ભોગ ભોગવતાં તુરત જ અભિલાષા શાન્ત થઈ જાય છે તેથી આ વેદ તૃણના અગ્નિતુલ્ય છે. જે કર્મના ઉદયથી જીવને સ્ત્રી-પુરુષ એમ ઉભય પ્રત્યે ભોગની અભિલાષા થાય તે નપુંસકવેદ સમજવો. આ વેદ નગરના અગ્નિસમાન છે. જેમ નગરમાં લાગેલી મોટી આગ કેમે કરીને બુઝાતી નથી. તેમ આ અભિલાષા કોઈ ઉપાયોથી જલદી તૃપ્ત થતી નથી. માટે નગરદાતુલ્ય છે. આ પ્રમાણે ૩ દર્શનમોહનીય, ૧૬ કષાયમોહનીય, ૬ હાસ્યષક અને ૩ વેદ એમ ૨૮ પ્રકારે મોહનીયકર્મ સમજાવ્યું. ૨૨. હવે આયુષ્યકર્મ સમજાવે છે - સુર-નર-તિરિયા, કિરિ નામ વિત્ત છે बायाल-तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥२३ ॥ (સુર-નર-તિર્થ-નવયુદ્ધવિશં નામ ત્રિસમસ્T. द्विचत्वारिंशत्-त्रिनवतिविधं-त्र्युत्तरशतं च सप्तषष्टिः) શબ્દાર્થ : સુર: = દેવનું, નર: = મનુષ્યનું, તિરિ = તિર્યંચનું, અનેનરય = નરકનું, આ= આયુષ્ય, ડર = બેડી સરખું છે, નામ્ = નામકર્મ, વિત્તિમં = ચિત્રકાર સરખું છે, વાયાત = બેંતાલીસ, તિવવિ૬ = ત્રાણું, તિરસથું = એકસો ત્રણ, અને સત્ત= સડસઠ ભેદો છે. Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy