SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ પ્રથમ કર્મગ્રંથ સપ્તકના ક્ષયથી ઉત્પન્ન થયેલું જે સમ્યક્ત્વ તે ક્ષાયિકસમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ જિનકાલીન પ્રથમ સંઘયણવાળાને જ થાય છે. મોક્ષમાર્ગ ચાલુ હોય ત્યારે જ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ભવમાં જ મળે છે અને એક જ વાર આવે છે. આવ્યા પછી જતું નથી તેથી સાદિ-અનંત છે. આ સમ્યકત્વ સમ્યકત્વમોહનીય કર્મના ઉદય વિનાનું છે. એટલે અપૌગલિક તો છે જ, પરંતુ તે પ્રકૃતિ સત્તામાં પણ ન હોવાથી શુદ્ધ અપૌલિક કહેવાય છે. આ સમ્યકત્વવાળો જીવ પરભવનું આયુષ્ય અને જિનનામકર્મ જ ન બાંધ્યું હોય તો તે જ ભવે મોક્ષે જાય છે. અને જો બદ્ધાયુ હોય તો ત્રણચાર ભવે (અને ક્વચિત્ પાંચ ભવે) મોક્ષે જાય છે. અને જિનનામ કર્મ બાંધ્યું હોય તો ત્રીજા ભવે મોક્ષે જાય છે. (૪) વેદક સમ્યકત્વ - આ ક્ષાયોપથમિકનો જ એક ભેદ છે. સમ્યકત્વમોહનીયના ઉદયવાળા સમ્યકત્વને ક્ષાયોપથમિક કહેવાય છે. તેમાં જ્યારે મિથ્યાત્વ, મિશ્ર, અનંતાનુબંધીચતુષ્ક એમ છ કર્મ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય થઈ ચૂક્યો હોય, સમ્યકત્વ મોહનીયનો પણ ક્ષય થઈ રહ્યો હોય તેમાં જ્યારે છેલ્લો ગ્રાસ ક્ષય થતો હોય ત્યારે વેદકસમ્યકત્વ કહેવાય છે કે જેની પછી તુરત જ ક્ષાયિકસમ્યકત્વ આવે છે. સમ્યકત્વમોહનીય કર્મનો ઉદય ચાલુ હોવાથી અશુદ્ધ પૌગલિક છે અને ક્ષાયોપથમિકમાં જ અંતર્ગત છે તથાપિ અનિત્તમ ગ્રાસના ઉદયની વિશિષ્ટ વિવક્ષા કરીને ક્ષાયોપથમિકથી કોઈ કોઈ સ્થાનોએ ભિન્ન સમજાવ્યું છે. (૫) સાસ્વાદન :- ઔપશમિકસમ્યકત્વ પામ્યા પછી ત્રણ દર્શન મોહનીય ઉપશમાવેલી હોવા છતાં અનંતાનુબંધી ચતુષ્કનો જો ઉદય થઈ જાય તો સાસ્વાદનસમ્યકત્વ કહેવાય છે. અહીં દર્શનત્રિક સર્વથા ઉપશાન્ત હોવાથી આ સાસ્વાદન ઔપશમિકમાં જ અંતર્ગત થાય છે. તથાપિ અનંતાનુબંધી ઉદયમાં આવવાથી અને તે સમ્યકત્વનો ઘાતક હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy