SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૮૫ વખત ઉપશમશ્રેણી પ્રારંભતી વખતે આવે છે. સંસારચક્રમાં એક જીવને ઉપશમ સમ્યકત્વ પાંચ વાર આવે છે. અંતર્મુહૂર્ત જ ટકે છે. સૌથી પ્રથમ આ સમ્યગ્દર્શન જીવને પ્રાપ્ત થાય છે. આ સમ્યગ્દર્શન ચારથી અગિયાર ગુણસ્થાનક સુધી હોય છે. તથા સમ્યકત્વ મોહનીયનો ઉદય ન હોવાથી અપૌદ્ગલિક કહેવાય છે. પરંતુ સત્તામાં સમ્યકત્વ મોહનીય હોવાથી અશુદ્ધ અપૌદ્ગલિક કહેવાય છે. જ્યારે ક્ષાયિક શુદ્ધ અપૌદ્ગલિક સમજવું. (૨) ક્ષાયોપથમિક :- ત્રણ પ્રકારની દર્શનમોહનીયમાંથી મિથ્યાત્વ મોહનીય અને મિશ્રમોહનીય એમ બે પ્રકૃતિનો ઉદય (રસોદય) જ્યાં અટકાવ્યો હોય પરંતુ સમ્યકત્વ મોહનીયનો રસોદય જ્યાં ચાલુ હોય, તે કાળે જે સમ્યગ્દર્શન તે ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન. તીવ્ર મિથ્યાત્વ -મિશ્રને મંદરસીભૂત કરીને અનુભવવું તે ક્ષાયોપથમિક સમ્યકત્વ. ઉદયમાં આવેલ મિથ્યાત્વ અને મિશ્રમોહનીયના રસને હણીને સમ્યકત્વ મોહનીય રૂપે કરી રસોદયથી ભોગવી વિનાશ કરવો તે ક્ષય, તથા સત્તામાં રહેલ, હાલ ઉદયમાં ન આવેલ, પરંતુ ઉદીરણા આદિના બળે ઉદયમાં આવવાને સમર્થ એવાં મિથ્યાત્વ અને મિશ્રમોહનીયનાં દલિકો ઉદયમાં ન આવી જાય એવી રીતે દબાવી રાખવાં એ ઉપશમ, આ બે ભાવો સાથે હોવાથી ક્ષયોપશમ સમ્યકત્વ કહેવાય છે. આ સમ્યકત્વ ચારથી સાત ગુણઠાણા સુધી હોય છે. ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત રહે છે અને વધુમાં વધુ સાધિક છાસઠ સાગરોપમ રહે છે. સમ્યકત્વમોહનીયના ઉદયવાળું હોવાથી પૌદ્ગલિક (પુદ્ગલના ઉદયવાળું) અને અશુદ્ધ કહેવાય છે. (૩) ક્ષાયિક - ત્રણે દર્શનમોહનીય તથા તેની પૂર્વે જ ક્ષય થતા હોવાથી અનંતાનુબંધી ચાર કષાય એમ દર્શન સપ્તક)નો જેણે સંપૂર્ણપણે બંધ-ઉદય અને સત્તામાંથી જ વિનાશ કર્યો છે. અર્થાત્ આ સાત પ્રકૃતિનો એક પણ કર્મ પરમાણુ જેને સત્તામાં પણ નથી જ, તેનું દર્શનમોહનીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy