SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ પ્રથમ કર્મગ્રંથ (૮) આત્માનું સર્વથા કર્મોથી છુટા થવું તે મોક્ષ. નૃત્નક્ષયો મોક્ષ તત્ત્વાર્થસૂત્ર ૧૦-૩, શુદ્ધ-બુદ્ધ, નિરંજન-નિરાકાર, અનંત જ્ઞાનાદિ ગુણોવાળી અવસ્થા તે મોક્ષ. આ જગતમાં મોક્ષ પણ છે અને મોક્ષના ઉપાયો પણ છે. જ્ઞાનાદિ ગુણોનું સેવન અને મિથ્યાત્વાદિ દોષોનો ત્યાગ એ જ મોક્ષનો પરમ ઉપાય છે, ઈત્યાદિ. (૯) સર્વ કર્મોનો ક્ષય થવા રૂપ મોક્ષના કારણભૂત અંશે અંશે કર્મોનો ક્ષય થવો તે નિર્જરા. તેના બાહ્ય-અત્યંતર તપ સ્વરૂપ ૧૨ ભેદો છે. મૂળગાથામાં શબ્દપ્રાસ માટે નિર્જરાને મોક્ષની પછી કહ્યું છે. માટે વિવેચનમાં અમે પણ એમ જ કર્યું છે. (આ કર્મગ્રંથનો અભ્યાસ કરનાર નવતત્ત્વ પૂર્વે ભણેલા જ હશે એમ સમજી અમે અહીં આ ગાથામાં નવતત્ત્વોનું વધારે વિવેચન લખ્યું નથી.) ઉપર મુજબ સંસારમાં નવે તત્ત્વો છે. તેની શ્રદ્ધા કરવી. તે જેમ છે તેમ શ્રદ્ધા કરવી. જરા પણ મનથી ખોટી કલ્પનાઓ ન કરવી. વીતરાગ કેવલી પરમાત્માઓએ જે બતાવ્યું છે. તે સંપૂર્ણ સત્ય જ છે. એવી જે પરમ શ્રદ્ધા. નં નિહિં નત્તિ તમેવ સર્વ આવા પ્રકારનો જે દઢ સંકલ્પ તે સમ્યગ્દર્શન કહેવાય છે. તે સમ્યગ્દર્શન ક્ષાયિક આદિ ઘણા ભેદોવાળું છે. મુખ્યત્વે ઔપશમિક, લાયોપથમિક, અને ક્ષાયિક એમ ત્રણ ભેદો છે. અને વિવેક્ષાભેદે વેદક તથા સાસ્વાદન ગણવાથી પાંચ ભેદો પણ છે. (૧) ઔપશમિક :- ત્રણ પ્રકારની દર્શનમોહનીયકર્મની સત્તા હોવા છતાં આત્માએ એવી દબાવી દીધી હોય કે જેથી તેની એક પણ પ્રકૃતિ ઉદયમાં ન આવે અને આત્માની રુચિને ન હણી શકે, કે ન લૂષિત કરી શકે, તે કાળે આત્માનું જે સમ્યગ્દર્શન તે ઔપથમિક સમ્યગ્દર્શન. આ સમ્યગ્દર્શન ત્રણ કરણો કરવાથી આવે છે અને બીજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy