SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મવિપાક ૭૧ જ અપ્રાપ્તિ છે તથા ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોને જો કે ચક્ષુની પ્રાપ્તિ થાય છે તો પણ આ કર્મના ઉદયથી તે ચક્ષુ કાં તો ચાલી જાય છે. અથવા મોતીયો ઝામર આદિ રૂપ તિમિરાદિથી અસ્પષ્ટ જોનારી બને છે. તથા કદાચ ચક્ષુ રોગ વિનાની ધારો કે નિર્મળ હોય તો પણ મર્યાદિત જ ક્ષેત્ર જોઈ શકે, પરંતુ મર્યાદિત ક્ષેત્રથી અધિક ક્ષેત્ર જે ન જોઈ શકે તે પણ આ કર્મનો ઉદય જાણવો. અચક્ષુદર્શન” શબ્દમાં અચલુ શબ્દથી ચક્ષુથી ભિન્ન એવી સ્પર્શનાદિ શેષ ૪ બાોન્દ્રિયો અને મને એમ પાંચ ઇન્દ્રિયો જાણવી. તે શેષ ૪ ઈન્દ્રિયો અને મન દ્વારા સામાન્ય ધર્મનો જે બોધ થાય તે અચક્ષુદર્શન, તેને આચ્છાદન કરનારૂં જે કર્મ તે અચક્ષુદર્શનાવરણ. ચક્ષુદર્શન ચક્ષુ દ્વારા અને અચક્ષુદર્શન શેષ ઇન્દ્રિયો અને મન દ્વારા થાય છે. બન્નેમાં પદાર્થના સામાન્યધર્મના બોધને દર્શન કહેવાય છે. મતિ-શ્રુતજ્ઞાનવાળા આત્માઓને પ્રથમ ઇન્દ્રિય સાપેક્ષ જે સામાન્ય અવબોધ થાય છે. તે જ ચક્ષુ-અચક્ષુદર્શન કહેવાય છે. ઇન્દ્રિયોની અપેક્ષા વિના, માત્ર રૂપી દ્રવ્ય વિષયક, તે પણ ક્ષેત્રકાલાદિની મર્યાદાવાળો જે સામાન્ય અવબોધ તે અવધિદર્શન, તેને આચ્છાદન કરનારૂં જે કર્મ તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય છે. સર્વવસ્તુઓના સામાન્યધર્મને જાણનારૂં જે દર્શન તે કેવલદર્શન, તેને આચ્છાદન કરનારું જે કર્મ તે કેવલદર્શનાવરણીય કર્મ. અહીં ચારે પ્રકારના દર્શનમાં દર્શન શબ્દનો “સામાન્ય અવબોધ” એવો અર્થ સમજવો. મન:પર્યવજ્ઞાની (ભલે જુમતિવાળા હોય તો પણ) પ્રથમથી જ વિશેષધર્મોને જ જાણતા હોવાથી મન:પર્યવજ્ઞાન જ કહેવાય છે પરંતુ દર્શન કહેવાતું નથી. ૧૦. હવે નિદ્રાપંચકના અર્થ જણાવે છે सुहपडिबोहा निद्दा, निहानिहा य दुक्खपडिबोहा। पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥११॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001086
Book TitleKarmagrantha Part 1 Karmavipak
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1995
Total Pages294
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, B000, & B015
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy