SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ ચુંમાલીસમું ] તપસ્વી હીરલા આ૦ જગચંદ્રસૂરિ ૪૫ વગેરે પ્રકરણમાં વિસ્તારથી આપેલ છે. તે તેમાંથી વાંચી લેવી. રાજાવલી પ્રારંભ વિક્રમની બીજી સહસાબ્દી પછીને ઘણું જૈનાચાર્યો, જેનધર્મપ્રેમી રાજાઓ; અને મંત્રીઓ સાથે જુદા જુદા દેશના ઘણા રાજાઓનાં નામે સંકળાયેલાં છે, અધુરા લેખકે ઘણીવાર તે તે રાજાઓની હયાતી કે કાલસામ્ય વગેરે બાબતોમાં કલ્પિત વિસવાદ ઉઠાવે છે, આથી સામાન્ય વાચકો શંકાંમાં પડી જતાં મૂંઝાય છે, તેથી અહીં પહેલાં તે તે રાજાઓ અને રાજવંશની બાબતમાં સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. માટે અમે અહીં ઘણું રાજવંશેની તાલિકા આપી છે. લેખક અને વિચારકે આમાંથી ઘણે ખુલાસે મેળવી શકશે. અને ઈતિહાસને ન્યાય આપી શકશે. અહીં અમે ટૂંકી રાજાવલી આપીએ છીએ. શિશોદિયા વંશ (અનુસંધાન : પ્રકરણ : ૨૩, પૃષ્ઠ : ૩૮૬ થી ૩૮૯) શિશુદિયા રાજાવલીઃ ૧૧ રાજા ખુમાણુ પહેલે (ભા. ૧, પૃ. ૨૬, પૃ. ૪૧૩) (પ્ર. ૩૪, પૃ. ૫૮૯), ૧૩ રાજા ભર્તૃભટ્ટ (ભા. ૧, પ્ર૦ ૩૧, પૃ. ૪૭૧), ૧૭ રાણુ ખુમાણુ ત્રીજો (ભા. ૧, પ્ર૦ ૩૨, પૃ૦ ૫૪૧), ૧૯ રાણે અલ્લટ (ભા. ૧, પ્ર. ૩૪, પૃ૦ પ૬૭–૧૮૯) સજા ભુવનપાલ (ભા૧, પ્ર. ૩૪, પૃ૦ ૫૯૧), ૩પ રાણે રણસિંહ, પૌત્ર રાણે ધીરસિંહ (ભા. ૨, પ્ર. ૪૧ પૃ. ૬૪૨)ને પરિચય પહેલાં આવી ગયે છે. વિક્રમની બારમી સદીથી શિશેદિયા રાજવંશ નીચે પ્રમાણે મળે છે.. શિશુદિયાવંશમાં ચિત્તોડની ગાદીએ અનુક્રમે ૩૫ રાણે રણસિંહ, ૩૬ ક્ષેમસિંહ, ૩૭ સામંતસિંહ, ૩૮ કુમારસિંહ, ૩૯ મદનસિંહ, ૪૦ પદ્ધસિંહ થયા હતા. ૪૧. રાણે જૈત્રસિંહ:- રાણે ત્રસિંહ રાજા થયે, આ રાણુનાં જયતલ, જયમલ, જયસિહ, અને જૈત્રસિંહ, નામે મળે છે. તેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy