SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ હેમવિમલસૂરિ ૭૨૩ હીર જેસિંગને મિથ્યાત્વી કહ્યા, તે સાગર ગચ્છ બહાર રહ્યા. કડી : ૧૦૧૮. (–વિજયતિલકસૂરિ રાસ, અધિ. ૨, પૃ. ૮૬) (૨૦) જ આ હીરવિજયસૂરિના મહોર સુમતિવિજય ગણિવરના શિષ્ય પં. કનકવિજય ગણિ તથા બીજા શિષ્ય કવિ પં. સિંહવિજય ગણિ આ ગચ્છનાયકની આજ્ઞાથી સૂરતમાં ચોમાસુ પધાર્યા. તેઓ બાર બેલને પટ્ટ વાંચવા બેઠા, ત્યારે સૂર તના નવી પ્રરૂપણાના પ્રેમી સૂરા વહોરાએ ત્યાં આવીને તેમને વાંચવા દીધા નહીં, તે માટે વિરોધ કર્યો. બીજી સાલ મહેત કલ્યાણવિજય ગણિવર ગચ્છનાયકની આજ્ઞાથી સૂરત ચોમાસુ પધાર્યા. સૂર વહોરાએ તેમનું પણ અપમાન કર્યું અને પિતે જ બાર બેલના પટ્ટાને બદલે નવી ચર્ચાના આલાવાનાં પાનાં વાંચવા શરૂ કર્યા. મહો૦ કલ્યાણવિજયજી ગણિવરે સૂરતના સંઘના આગેવાનોને ઉપદેશ આપી, સમજાવી, પિતાના બનાવી લીધા. પાંચ બેલને પટ્ટો (૨૧) પછી તે આ વિજયસેનસૂરિએ સં. ૧૯૬૭ના માટે વ૦ ૪ ને શનિવારે પાટણથી પાંચ બેલને નો પટ્ટો બનાવી સઘળે સ્થાને મોકલ્યા. તે પાંચ બેલને પટ્ટો આ પ્રકારે હતો ૧. સૌએ બાર બેલના પટ્ટ ઉપર શ્રદ્ધા રાખવી. ૨. ગીતાર્થોએ ચોમાસામાં તથા પજુસણમાં સંઘની સભામાં ૧૨ બેલને પટ્ટ જરૂર વાંચ-વંચાવો. * ૩. તથા “પ્રશ્નોત્તરસમુચ્ચય, હરિપ્રશ્ન” ગ્રંથ પણ અવશ્ય વાંચવા. કેઈએ આ ત્રણ ગ્રંથ વાંચવાને વિરોધ કરે નહી. ૪. કેઈએ આ ત્રણ ગ્રંથ સિવાયનાં છૂટાં ચર્ચાપત્ર, આલાવાઓ વગેરે વ્યાખ્યાનમાં વાંચવા નહીં, વંચાવવા નહીં. ૫. સૌએ બાર બેલના પટ્ટકની આજ્ઞા મુજબ માર્ગનુસારપણે વર્તવું १. '' उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि नाथ ? दृष्टयः। न च तासु भवान् प्रदृश्यते प्रविभत्सासु सरित्स्विवोदधेः॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy