SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ ૭૧૧ મહોત્ર ધર્મસાગરજીએ પાટણમાં આ૦ અભયદેવસૂરિ ખરતરગઅછના નથી, ખરતરગચ્છની સામાચારી ખોટી છે, વગેરે ચર્ચા ચલાવી જૈન શાસનની ઉન્નતિ કરી. ગ્રન્થ મહેપાધ્યાયજીએ સં. ૧૬૧૭માં પાટણમાં “ઔષ્ટ્રિકમસૂત્રદિપિકા” ગ્રંથ બનાવ્યો. પાટણને સં૦ બૂ૦ શેઠ શિવજી મહોપાધ્યાયજીને ભક્ત બને. મહોપાધ્યાયજી પાટણથી વિહાર કરી અહિમનગર પધાર્યા, ને ત્યાં જ ચોમાસુ રહ્યા. તેમણે અહીં સં૦ ૧૬૧૮માં ઉપાટ લબ્ધિસાગર વગેરે પાંચ જણાને દીક્ષા આપી, તે પછી તે અમદાવાદ પધાર્યા. એ સમયે અમદાવાદમાં મંત્રી ગલરાજ નામે શ્રેષ્ઠી હતું, જે બાદશાહ મહમ્મદ (ચોથા)ને માનીતું હતું. દિશાવાળ જ્ઞાતિના મંત્રી વરણાઈગને પુત્ર હતો. તેને બાદશાહે “મલેક શ્રીનગદલ”નું બિરુદ આપ્યું • હતું. અને માટે વજીર બનાવ્યો હતો. તે ૫૦૦ ઘોડેસવારેને ઉપરી હતે. (–પ્રક. ૪૪, પૃ. ૨૧૬ સં. ૧૫૯૪ થી ૧૬૧૦) મંત્રી ગલરાજે મહા ધમસાગરજીને અમદાવાદમાં પ્રવેશ મહત્સવ કર્યો, જેમાં ૨૦૦૦ નારિયેળની પ્રભાવના કરી અને મહેપાધ્યાયને અમદાવાદમાં ચોમાસું કરાવ્યું. તેમના વ્યાખ્યાનમાં હમેશાં પાંચસે માણસે આવતા. મંત્રી ગલરાજે ચાર મહિના પ્રભાવના કરી. સં. બુ. શેઠ શિવજી પાટણથી મહેપાધ્યાયજીને વાંદવા અમદાવાદ આવ્યું. મંત્રી ગલરાજ અને બૂટ શેઠ શિવજી વચ્ચે ગાઢ ધર્મપ્રેમ બંધાયે. મહાપાધ્યાયજીને વિવિધ પ્રશ્નો પૂછતા. તેઓ સૌની ૧. ભવ આનંદવિમલસરિના સમયે કૂણ શાહ શ્રેછી તેમને ભક્ત હતો. તે પણ મલેક શ્રીનગદલ” બિરુદધારી હતો. તેમણે તપાગચ્છના સંગીએનો સૌરાષ્ટ્રમાં વિહાર કરાવ્યો. (–તપાગ૭ પટ્ટાવલી, પૃ. ૩૦ જૂઓ પ્રક. ૫૬) ભ૦ વિજયદાનસૂરિના સમયે ગલરાજ મલકનગદલ હતો તેણે શત્રુંજય તીર્થને મુક્તાઘાટ કરાવ્યું. (—જૂઓ પ્રક. ૫૩, “મુક્તાઘાટ”). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy