SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૯ પંચાવનમું ] આ૦ હેમવિમલસૂરિ સામાચારી સાચી, નહિતર ખરતરની સામાચારી ખરી નહીં” એ નિર્ણય થ. નો ગ્રન્થ સૌ પ્રથમ તપાગચ્છ લઘુ પિષાળનો ગ્રંથભંડાર જે, અને પછી તપાગચ્છની વડી પિલાળને ગ્રંથભંડાર છે, તે તેમાંથી સંસ્કૃત ભાષાનો “ઉસૂત્રકન્દમુદ્દાલ” નામે ગ્રંથ “સંસ્કૃત ટીકા” સાથે મળી આવ્યું, તેમાં પૂનમિયા, આંચલિક, ખરતર, સાર્ધપૂનમિયા, આગમિયા એ પાંચે મતોને અસલી ઇતિહાસ નીકળ્યું. તેમાં તે બધાને નિહ્નવ જેવા બતાવ્યા હતા. આ ગ્રંથનું બીજું નામ “ગુરૂતત્ત્વ પ્રદી પ” પણ હતું જેમાં વિશ્રામ-૮, ૯૦ ૨૨૧ વિવરણ ગ્રંથ ૧૯૫ર હતું. મહેપાધ્યાયજીએ સં. ૧૯૧૬ના આસો સુદિ ૧૩ ના રોજ આ ગ્રંથની અક્ષરશઃ નકલ કરાવી લીધી, મહાપાધ્યાયજીએ સૌ ભટ્ટારકે તથા શેઠ શિવજી વગેરે સંઘની વચ્ચે આ ગ્રંથ વાંચી સંભળાવ્યું, જે વાંચવાથી ખરતરગચ્છના શ્રાવકે દુઃખ પામ્યા. તેઓએ ભ૦ વિજયદાનસૂરિને ખંભાત પત્ર લખી મેક, તેમાં વિનંતિ કરી કે, “આપ આ૦ અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયા છે, એવું લખી મોકલજો.” અહીં તમારો ગીતાર્થ ચોમાસુ છે, તે પાટણથી જૂદી જ વાતો કરે છે, અને રાગ-દ્વેષ વધારે છે. આપને ઉપર મુજબને પત્ર આવવાથી અહીં રાગદ્વેષ મટી જશે. તમે મહંત છે, રાગદ્વેષને વારનારા છે, તીર્થકર સમાન છે; તે રાગદ્વેષ ઘટે તેમ પત્ર લખી મેકલજે.” મહોપાધ્યાયજીએ ખંભાત આ પત્ર ગયાના સમાચાર જાણ્યા. તેમણે શેઠ શિવજીને કહી સંઘને એક માણસ ખંભાત ગચ્છનાયક પાસે મેક. મહેપાધ્યાયજીએ તેને પત્ર લખી આપ્યું. તેમાં તેમણે જણાવ્યું કે, “અમે પૂર આ૦ મુનિસુંદરસૂરિ વગેરે પૂર્વાચાર્યોના ગ્રંથ ભંડારમાંથી કાઢીને જોયા છે. તે આધારે નકકી થાય છે કે, આ અભયદેવસૂરિ “ખરતર નથી. ખરતરગચ્છની સામાચારી ખોટી છે. તો આપ અહીંના ખરતરગચ્છના શ્રાવકને જે ઉત્તર આપે તે વિચારીને આપજે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy