SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ ચેપનમું ] આ૦ સુમતિસાધુસૂરિ ૬૭૫ તે નિરતિચાર ચારિત્ર ધર્મના આરાધક, અને શુદ્ધ પ્રરૂપણ કરનારા હતા, સં. ૧૫૫૧માં (3) અમપુર ગામમાં સ્વર્ગ ગયા. (વિવિધ પટ્ટાવલી સંગ્રહ, પૃ. ૨૧૮) ગચ્છનાયક સ્થાપના (૫૪મા) ભ૦ સુમતિસાધુસૂરિવરે સં. ૧૫૪૮માં પંચલાસગામમાં સૂરિમંત્રની આરાધના કરી, શેઠ પાતાએ કરેલ મહત્સવમાં મહેક હેમવિમલગણિને આચાર્ય પદ આપ્યું, ત્યારબાદ સં૧૫૫૧માં ઈડરગઢમાં રાવ ભાણુના માનીતા શેઠ સાયર અને કઠારી શ્રી પાળે કરેલ મહોત્સવમાં ગચ્છનાયક બનાવી પિતાની પાટે સ્થાપ્યા. અને ત્યારથી જ સાથે સાથે તેમને ગચ્છને ભાર સેં. અને હિતચિત્વનમાં મસ્ત બન્યા. નોંધ: યુગ પ્રધાન યંત્રના આધારે જાણવા મળે છે યુગ પ્રધાન આવે હરિમિત્રને સ્વર્ગગમન વિ. સંવત ૧૫૫૪ નો છે. તે સંભવ છે, કે ૫૪મા ભ૦ સુમતિસાધુસૂરિ સં. ૧૫૫૪ થી વધુ એકાંત પ્રિય નિસંગ-ધ્યાન મસ્ત બન્યા હેય. સ્વભાવ આ૦ સુમતિસાધુસૂરિ સરળ હતા. વિચારક અને તપસ્વી હતા. વર્ધમાનતપ કરતા હતા. તપાગચ્છમાં બે-એક દશકાથી ગચ્છભેદનું વાતાવરણ ઊઠયું હતું તે તેમના ધ્યાનમાં જ હતું, પણ “કોઈ પણ રીતે ગચ્છભેદ ન થાય એ માટે તેઓ ખૂબ સાવચેત રહેતા. સાવધાનતા (૧) આ૦ ઇંદ્રનંદિ સં. ૧૫૨૮માં આ લક્ષ્મીસાગરસૂરિના હાથે આચાર્ય બન્યા. (૨) આ૦ કમલકીશ પણ જૂના આચાર્ય હતા, ભ૦ સુમતિસાધુસૂરિએ સંઘની વિનંતિથી સં. ૧૫૫૧માં નાણ માંડી તે બંનેને ગણનાયકે બનાવ્યા. અને પોતે વિચરતા વિચરતા ખંભાત પધાર્યા. આ૦ ઇંદ્રનંદિસૂરિ અને આ૦ કમલકળશસૂરિ મેટા હતા; જ્યારે આ૦ હેમવિમલસૂરિ તે બન્નેથી નાના હતા. આમ હોવાથી આ બંને આચાર્યોએ પોતાના સ્વતંત્રપક્ષે જમાવવા પ્રયત્ન શરૂ કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy