SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ચેપનમું ] આ૦ સુમતિસાધુસૂરિ શેઠ સાધુ સજજનસિંહ ઓસવાલની રાજવી મદદથી, શંખલપુરના શેઠ કેચરશાહ પોરવાડ વ્યવહારિએ વિક્રમની ચૌદમી સદીના ઉત્તરાર્ધમાં બહુચરાજીના ૧૨ ગામમાં જીવદયા પળાવી હતી. (–જૈન ઇતિ પ્રક. ૩૫, પૃ. ૧૯૮. પ્રક. ૪૯, પૃ. ૪૩૬) નોંધ: આ અમારિની ઘટનાને આ આચાર્ય સાથે મેળ ખાય છે. તેથી અમે તેમના નામ સાથે આ ઘટના જોડી છે. પરંતુ કઈ કઈ વિદ્વાન આ અમારિની ઘટનાને પ૩મા ભ૦ લક્ષ્મીસાગરસૂરિના પટ્ટધર ૫૪મા ગચ્છનાયક ભ૦ સુમતિ સાધુસૂરિ સાથે જોડે છે. પણ તે જોડાણ બંધ બેસતું નથી માટે સપ્રમાણ નથી. (૨) (૫૪મા) ભ૦ સુમતિ સાધુસૂરિ–તે પ૩મા ભ૦ લમીસાગરસૂરિના પટ્ટધર–ગચ્છનાયક હતા. નોંધ : અમે ઉપર (૫૦મા) “શ્રી સુમતિસાધુરત્નસૂરિના ઉપદેશથી શંખલપુરનાશા) કેચર વ્યવહારિયાએ અમારિ પ્રવર્તાવી.” એમ બતાવ્યું છે તે બરાબર છે. ૩ (પદમા) આ૦ સુમતિસાધુસૂરિ તપાગચ્છના કમલકલશાં મતના ૫૫ મા આ૦ સુધાનંદસૂરિના પટ્ટધર પ૬મા આ૦ સુમતિસુંદરસૂરિ થયા. તેમનું બીજું નામ આ૦ સુમતિસાધુસૂરિ પણ મળે છે. (-પ્રક. ૫૩ પૃ૦ પ૬) નોંધ : ઉપર લખેલ ત્રણે આચાર્યોની કઈ કઈ જીવન ઘટનામાં ભેળસેળ થઈ જાય તેમ છે, આથી અમે ઉપલબ્ધ સાધનેના આધારે અને સાલવારીનો મેળ સાધી તે વિસંવાદી ઘટનાઓને વ્યવસ્થિત કરી છે. અને તેની અહીં પ્રાસંગિક સ્પષ્ટતા કરી છે. અમે હવે ૫૪મા ભ૦ સુમતિસાધુસૂરિ વિષે લખીએ છીએ. જિન પ્રતિષ્ઠા ૫૪મા ભ૦ સુમતિ સાધુસૂરિ સં. ૧૫૫૧ થી ૧૫૮૧ સુધી ગચ્છનાયકના પદે રહ્યા હતા. તેમણે ઘણું જિનાલયે, અને જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી હતી. તે આ પ્રમાણે જાણવા મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy