SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રેપનમું ] ભ૦ લક્ષ્મીસાગરસૂરિ, આ સમદેવસૂરિ ૬૧૩ રાણાને જીતી, મેવાડને પિતાના તાબામાં લેવા ઈચ્છે છે. આથી વીર દયાલશાહે મેવાડને વિવિધ રીતે મજબુત બનાવ્યું. કે મેગલ સેના ચડી આવે તે માર ખાઈને જ પાછી જાય. મેવાડની સરહદેના પ્રદેશમાં પણ મેવાડની સત્તા જમાવી. તેની પત્ની પાટમદે પણ દેશના હિત કાર્યમાં પુરે રસ લેતી હતી. તે યુદ્ધના મેદાનમાં “સૈનિક ગણવેશ” પહેરી, જતી. અને વીરદયાલદાસને બચાવવા પુરી તકેદારી રાખતી હતી. બીજી પણ વિવિધ જાતની મદદ કરતી હતી. મેવાડમાં કાંકરેલી અને રાજસાગર તળાવની વચ્ચે એક નાનકડી પહાડી છે. સં. દયાલ શાહે રાણુની આજ્ઞા મેળવી, તેની ઉપર નવ માળને મેટ જિનપ્રાસાદ બનાવ્યું. તેમાં માત્ર જિન પ્રતિષ્ઠા કરવી બાકી હતી. પણ જિનપ્રાસાદ એ વિશાળ હતો કે–રથી કિલ્લા જે દેખાતો હતે. બાદ ઔરંગઝેબ (. ૧૭૧૫ થી ૧૭૬૩) વિ. સં. ૧૭૩૦ માં “મેવાડને રણે આ કિલ્લાથી અજેય બનશે” એવા ખ્યાલથી કે ધર્માધતાથી, તેને તેડવા સેના લઈ ચડી આવ્યા. વીર દયાલશાહે તેની સામે લડી, બાદશાહી સેનાને હંફાવી. અને પછી પિતે જાતે જ બાદશાહને મળીને સમજાવ્યું કે-“જહાંપનાહ ? આ કિલ્લો નથી. માત્ર બે માળનું જિનાલય છે. પરંતુ તેના શિખરની ઉપરા ઉપર માળેની ઉભણી ગઠવી, ઉચું શિખર બનાવ્યું છે. જે જેનારને ભવ્ય કિલ્લાને ખ્યાલ કરાવે છે. બા. ઔરંગઝેબે વીર દયાલ શાહના કથનને સાચું માની, તે જિનાલયને ન તેડતાં, એમજ સુરક્ષિત રાખી, પાછો ચાલી ગયે. રાણ રાજસિંહે જ શરૂમાં આ જિનાલય બનાવવાની આજ્ઞા આપી હતી. પણ હવે તે આ જિનાલયમાં જિન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાની રજા દેતું ન હતું પરંતુ તેને રજા દેવી પડે એવા કુદરતી સંગે બન્યા તે આ પ્રમાણે ઔરંગઝેબ સાથેની લડાઈમાં રાજસાગર તળાવની પાળ તૂટી ગઈ હતી. રાણે નવી પાળ બનાવે. અને ચોમાસામાં પાણીને ધસારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy