SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૩ [ પ્રકરણ ઉ૦ વિજયચંદ્રગણિ -આ જગચંદ્રસૂરિ અને આ દેવેન્દ્રસૂરિની આજ્ઞામાં હતા. પણ ઉ૦ દેવભદ્ર ગણિને બહુ માનતા હતા. વસ્તુતઃ આ૦ જગચંદ્રસૂરિએ પં. વિજયચંદ્રને તથા ૫૦ દેવભદ્ર ગણિને ઉપાધ્યાયપદવી આપી હતી પણ તે બેમાંથી કેઈને આચાર્ય પદવી આપી નહોતી. તેમને સં. ૧૨૫ ને ચિત્ર મહિના પછી સ્વર્ગવાસ થયે. એક ઉલેખ એ મળે છે કે, ઉ૦ દેવભદ્રગણિએ ઉ૦ વિજયચંદ્રને પૂનમિયા પણ ચૌદશ માનનારા આ દેવેન્દ્રસૂરિ પાસે સં. ૧૨૯૬ માં આચાર્યપદવી અપાવી. (-પ્રક. ૪૦, પૃ. ૫૪૬) આ ઉલ્લેખ પ્રાચીન પાનાઓમાં મળે છે, તેથી અમે ચતુર્દશીપક્ષના આ૦ દેવેન્દ્રસૂરિના હાથે વિજયચંદ્ર ગણિને આચાર્ય પદવી બતાવી છે. પરંતુ આ મુનિસુંદરસૂરિ લખે છે કે, આ જગચંદ્રસૂરિએ ઉ૦ દેવભદ્ર ગણિના આગ્રહથી અને શિષ્ય ઉપર વાત્સલ્ય હેવાથી ઉ૦ વિજયચંદ્ર ગણિને આચાર્યપદ આપ્યું હતું. (ગુર્નાવલીઃ લક ૧૨૪) પરંતુ અમને લાગે છે કે આ જગશ્ચંદ્રસૂરિએ પં. વિજયચંદ્ર ગણિને ઉપાધ્યાયપદ આપ્યું હતું અને અવસરે આચાર્યપદ આપવાને નિર્ણય કરી રાખ્યું હશે. આથી સંભવ છે કે, તેમના સ્વર્ગવાસ પછી તેમના પટ્ટધર આ૦ દેવેન્દ્રસૂરિ અથવા ચતુર્દશી પક્ષના આઠ દેવેન્દ્રસૂરિએ ઉ૦ વિજયચંદ્ર ગણિને આચાર્યપદ આપ્યું હોય. સંભવ છે કે ત્યારથી તપા વૃદ્ધપલાળ અને ચતુર્દશી પક્ષ સંગેત્રી બન્યું હોય. બીજો એક ઉલલેખ એ મળે છે કે, આ વિજયદેવેન્દ્રસૂરિ, આ. વિજયચંદ્રસૂરિ, ઉ૦ દેવભદ્રગણિ વગેરે સં. ૧૨૯૬ માં વીજાપુરમાં ચોમાસુ રહ્યા હતા. (મે. દ. દેસાઈને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ ફ પ૬૦). આ ઉપરથી કલ્પી શકાય છે કે, ઉ૦ વિજયચંદ્ર સં. ૧૨૯૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy