SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શુમાલીસમું ] તપસ્વી હીરલા આ જગચંદ્રસૂરિ આ૦ જગચંદ્રસૂરિ આ૦ સેમપ્રભસૂરિ તથા આ૦ મણિરત્નસૂરિની પાટે આ જગચંદ્રસૂરિ થયા. શેઠ પૂર્ણદેવ પિરવાડને ૧ સલક્ષણ, ૨ વરદેવ અને ૩ જિનદેવ એમ ત્રણ પુત્રો હતા. જિનદેવ બચપણથી શાંત, ધર્મપ્રેમી અને વૈરાગી હતું. તેણે મેક્ષની અભિલાષાથી આ૦ મણિરત્નસૂરિ પાસે દીક્ષા સ્વીકારી. ગુરૂએ તેનું નામ રાખ્યું મુનિ જગશ્ચંદ્રજી આ૦ મણિરત્નસૂરિ લગભગ સં. ૧૨૭૪ માં સ્વર્ગે ગયા. ૫૦ જગટ્યગણિએ ત્યારથી આયંબિલ તપ શરૂ કર્યો અને આ સેમપ્રભસૂરિની સેવામાં રહી, જ્ઞાન સંપાદન કર્યું. આ૦ સોમપ્રભસૂરિએ તેમને ગચ્છનાયકનું પદ આપ્યું. અને તેમનું નામ રાખ્યું આ૦ જગચંદ્રસૂરિ, આ સમપ્રભસૂરિ સં. ૧૨૮૪માં સ્વર્ગે ગયા. આ૦ જગચંદ્રસૂરિ ત્યાગી, વૈરાગી, સંવેગી સૌમ્યમૂતિ હતા. આગમેના જ્ઞાતા હતા. આગનેના અર્થોના વિચારક હતા. ભાવ આચાર્યપદને ગ્યા હતા. આ સમયે પાંચમા આરાની અસરથી મિક્ષને માર્ગ શિથિલતાવાળ બની ગયું હતું. આચાર્યશ્રીને સતત ભાવના હતી કે શિથિલતા ટાળી મોક્ષમાર્ગને શુદ્ધ બનાવવા જોઈએ. તે આ માટે એગ્ય સહયોગીને શેધતા હતા. તેમણે આ૦ સેમપ્રભસૂરિના સ્વર્ગવાસ પછી મેવાડમાં વિહાર કર્યો. ત્યારે ૫૦ દેવભદ્રગણિ તથા પં. દેવેન્દ્રમણિ વગેરે તેમની સાથે હતા. પંદેવભકગણિ-સંવેગી, શુદ્ધ આચારવાળા, આગમાનુસાર ચારિત્રને ધારણ કરનારા અને સંઘમાં વિશુદ્ધ ગુણવાળા તરીકે વિખ્યાત હતા. તેઓ આગમને જ્ઞાતા, આગમના અર્થોના વિચારક, શુદ્ધ સામાચારી પાલનારા હતા. આ જગચંદ્રસૂરિ અને પં. દેવભદ્ર બંને મળ્યા. બંનેને ચારિત્રરંગ એક હોવાથી બંનેને આનંદ થયો. બંનેએ સાથે સાથે વિહાર કરીને દ્ધિાર કરવાનો નિર્ણય કર્યો. તપસ્વી આ૦ જગચં આગમજ્ઞ પં. (ઉ) દેવભદ્રની “ઉપસંપદા” સ્વીકારીને બંનેએ મળીને કિચક્કાર કર્યો. . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy