SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પચાસમું ]. આ૦ સેમસુંદરસૂરિ ૪૪૫ તેઓ જ્ઞાની, ગુણવાન, ભાગી, મધુરભાષી, અમેઘ ઉપદેશક, ક્ષમાશીલ, શિષ્યવત્સલ. અને મહિમાવાળા હતા. તેમણે સં. ૧૪૭૮ માં વડનગરમાં દેવગિરિના શેઠ દેવરાજની વિનતિથી ઉપાટ મુનિસુંદરને આચાર્ય પદ આપ્યું. શેઠે ગચ્છનાયકની આજ્ઞા મેળવી, નવા આચાર્યની અધ્યક્ષતામાં વડનગરથી “શત્રુંજય અને ગિરનાર વગેરે તીર્થોને છરી પાળતે યાત્રા સંઘ” કાઢયે. તીર્થો આ૦ સોમસુંદરસૂરિના ઉપદેશથી ઈડરના સંઘપતિ ગેવિંદ ઓસવાળ સં૦ ૧૪૬૬માં શત્રુંજય, ગિરનાર, પારક, તારંગા વગેરે તીર્થોને છરી પાળતા યાત્રા સંઘ કાઢયે. તે સંઘપતિને તારંગા તીર્થની યાત્રા કરતાં અહીં ભ૦ અજિતનાથની નવી જિન પ્રતિમા બેસાડવાને મનેરથ” થયા. તેણે ત્યાંની પ્રાચીન પ્રતિમા ઉઠાવી મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું. અંબિકાદેવી”ની સાધના કરી, આરાસણમાં નવી પ્રતિમા તૈયાર કરાવી અને તારંગાતીર્થમાં મોટી પ્રતિષ્ઠા કરાવી, આચાર્યશ્રીએ અહીં પં. જિનમંડનમુનિને ઉપાધ્યાયપદ આપ્યું. તેમજ આચાર્યશ્રીએ દેલવાડામાં ઉપાય ભુવનસુંદરને આચાર્યપદ આપ્યું. (–પ્રક. ૪૨, પૃ૦ ૭૩૪, તારંગાતીર્થ) (૩) આ૦ સેમસુંદરસૂરિના ઉપદેશથી ઈડરના સંડ ગેવિદે. સં. ૧૪૭૯ માં તારંગા તીર્થમાં “કુમારવિહાર જિનપ્રાસાદને જીર્ણોદ્ધાર કરાવ્યું. આચાર્યશ્રીએ ત્યારે અહીં ઉપા. જયચંદને આચાર્યપદ આપ્યું. આ પ્રસંગે પં. જિનમંડનને ઉપાધ્યાયપદ - આપ્યું સંભવ છે કે, ત્યારે ભ૦ દેવસુંદરસૂરિ વિદ્યમાન હોય. (-ઈતિ, પ્રક. ૪૨ પૃ૦ ૭૩૪) આ ઉત્સવમાં આ૦ સોમસુંદરસૂરિના પરિવારના ૧૮૦૦ સાધુ હાજર હતા. (પ્રક. ૪૨ પૃ૦ ૭૩૮) અમદાવાદના બાદશાહ અહમદશાહને માનીતે સં૦ ગુણ રાજ એશવાલ આ જ્ઞાનસાગરસૂરિ તથા આ૦ સોમસુંદરસૂરિને ભક્ત હતું, તેના નાના ભાઈ નાનુએ (આંબાકે) પત્ની, પુત્ર, તથા ધન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy