SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૫ પિસ્તાલીસમું ] આ શ્રી દેવેન્દ્રસૂરિ જેમ ઓસવાલ “પાલ” કહેવાય છે, અને પરવાલ ‘એકડમલ્લ કહેવાય છે, તેમ સંભવ છે કે, ધકેટ શ્રીમાલી “કટ્ટારવીર કે દુઃસાધ” કહેવાતા હોય? આ હકીકત પ્રબંધકેશની પ્રશસ્તિ ઉપરથી સમજાય છે. ૧. બમ્પક-તે કટ્ટારવીર દુઃસાધવંશને હતો. તેને સંતાન થતાં તેણે યુવાનમાં જ બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું, તેથી તેનું જીવન સાધુ જેવું પવિત્ર લેખાતું હતું. આથી તે સાધુબમ્પક તરીકે વિખ્યાત હતા. ૨. ગુણદેવ-તેને જન્મ સવાલક દેશમાં થયે હતો. રાજામહારાજાએ પણ તેનું બહુમાન કરતા, તેણે બખુલીપુરમાં ઘણાં જૈન દેરાસરે કરાવ્યાં. ૩. નૂનક ૪. સાઢક–તે સ્થિર બુદ્ધિવાળો હતો. ૫. જગતસિંહ-તે દોલતાબાદને કરેડપતિ વેપારી હતા, ઉદાર પણ હતા. તે તપગચ્છના ભટ્ટારક દેવસુંદરસૂરિને ભક્ત હતે, એક ગ્રંથપ્રશસ્તિમાં તે સાધુ જગતસિંહને સવાલ તેમજ સાધુમુખ્ય બતાવ્યું છે. (-પ્રશ૦ નં ૯૬) એમ તેની ઓસવાલ શ્રીમાળી જ્ઞાતિ વિશે શંકા ઉદ્દભવે છે. તેને શ્રીદેવી નામે પત્ની, તથા મહણસિંહ અને સાધુ પદમસિંહ નામે પુત્રો હતા. તેના ઘર દેરાસરમાં રત્નની અદ્ભુત જિનપ્રતિમા હતી. તેણે ૩૬૦ જેનોને મદદ કરી, વેપાર દ્વારા પિતાના જેવા જ કરોડપતિ બનાવ્યા. આ કરોડપતિ જેને તરફથી દર સાલ એકેક દિવસ માટી– પૂજા, સાધર્મિક વાત્સલ્ય, અને સંઘપૂજા વગેરે નિરંતર ચાલુ રહેતાં. એકેક દિવસના સાધમિક વાત્સલ્યમાં ૭૨૦૦૦નો ખર્ચ થ. આ સાધર્મિક વાત્સલ્યમાં તે સૌને વછિયાત, વાટુ વખારિયા અને પૂજ્ય યતિઓની ભક્તિને મોટો લાભ મળતો હતે. પ્રતિજ્ઞાપાલન એકવાર બાદશાહે શેઠ જગતસિંહને કેદમાં પૂર્યો, પણ તેને હમેશાં સામાયિક કરવાની પ્રતિજ્ઞા હતી. શેઠ જેલરને રૂા. પ૦)ની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001078
Book TitleJain Paramparano Itihas Vol 3
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1964
Total Pages933
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy